કોરોના વાયરસના કારણે જે નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વધારે મોત થઇ રહી છે તેના મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવ સાથે કેન્દ્ર સરકારે બેઠક કરી હતી અને આ બેઠકમાં કોરોના વાયરસની કાર્યનીતિ પર ચર્ચા કરવામાં આવી.
રાજ્યોએ પોતાના જિલ્લાઓમાં મૃત્યુદર એક ટકા રાખવા સલાહ અપાઈ
બે સપ્તાહમાં કોરોનાથી મોતમાં 89 ટકા મોત 9 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી
આ બેઠકમાં કેબિનેટ સચિવ સજીવ ગૌબા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને ICMRના ડાયરેક્ટરની સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, પ.બંગાળ, ઉત્તરપ્રદેશ, પંજાબ, આંધ્ર પ્રદેશ અને જમ્મૂ કાશ્મીરના મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવ સામેલ થયા હતા.
મૃત્યુદર ઘટાડવા વધારે સાવધાનીથી કામ કરવા આદેશ
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ બેઠકમાં આ બધા રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તે બધા પોતાના જિલ્લાઓમાં મૃત્યુદર એક ટકા રાખવા પ્રયત્ન કરે અને તે દિશામાં પગલાં લે. મૃત્યુદરને લઈને રાજ્યોને કેટલાક ઉપાયો પણ દર્શાવવામાં આવ્યા છે. કોરોના વાયરસ મુદ્દે આ બધા રાજ્યોને એક પ્રેઝેન્ટેશન પણ બતાવવામાં આવ્યું જેમાં વિવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા હતા.
કોરોના વાયરસથી મોત રોકવામાં કેમ પાછળ છે આ રાજ્યો ?
પોતાના નિવેદનમાં સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે છેલ્લા બે અઠવાડીયામાં દેશભરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોમાં 89 ટકા મોત આ દસ રાજ્યોમાં જ થઇ. આ માટે આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને નિરંતર અને કઠોર સતર્કતા રાખવાની જરૂર છે. જેથી કોરોના વાયરસના કારણે થઇ રહેલ મોતની ઘટનાઓને ઓછી કરવા વધુમાં વધુ નક્કર પગલાં લઇ શકીએ.
કોરોનાનો દર્દી આવે તો તરત જ સંપર્કમાં આવેલાનો ટેસ્ટ કરવા આદેશ
આ બધા રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તે સંક્રમિત લોકોના સંપર્કમાં આવનાર લોકોની તપાસ કરવામાં આવે અને તેમના પર નજર રાખવામાં આવે. કોરોના દર્દી સામે આવતા જ 80 ટકા કેસમાં તે દર્દીના સંપર્કમાં આવેલ લોકોની શોધ કરીને 72 કલાકમાં જ ટેસ્ટ કરવા સલાહ અપાઈ છે. આ સિવાય સંક્રમણ દર પાંચ ટકાથી ઓછુ રાખવાના લક્ષ્યની સાથે જિલ્લામાં પ્રતિ દસ મિલિયન વસતી પર 140 કોરોના ટેસ્ટ સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.
આજે દેશમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા
બધા રાજ્યોને હોમઆઈસોલેશનમાં રાખવામાં આવેલ સંક્રમિતો પર સતત નજર રાખવા અને જેને જરૂર હોય તેને હોસ્પિ.માં દાખલ કરવા જોઈએ. કોરોના બેડની સંખ્યા વધારવા અને એમ્બ્યુલન્સ સુવિધા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આજે દેશમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસના 75 હજારથી વધારે કેસ સામે આવ્યા હતા અને કુલ આંક 33 લાખને પાર થઇ ગયો છે. જ્યારે 25 લાખ દર્દીઓએ કોરોના વાયરસને હંફાવી દીધો અને સાજા થઇ ગયા.