દિલ્હી સરકારની યોજના રેશન ડોરસ્ટોપ ડિલિવરી અટકાવી હોવાનો આરોપ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવ્યો છે.
25 માર્ચથી દિલ્હીમાં રેશનની ડોરસ્ટેપ ડિલિવરી યોજના શરુ થવાની હતી
કેન્દ્ર સરકારે આ યોજના અટકાવવા દિલ્હી સચિવને પાઠવ્યો પત્ર
ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ લોકોને રેશન મળે જ છે-- કેન્દ્ર સરકારની દલીલ
25 માર્ચથી દિલ્હીમાં રેશનની ડોરસ્ટેપ ડિલિવરી યોજના શરુ થવાની હતી. દિલ્હી સરકાર મુખ્યમંત્રી ઘર-ઘર રેશન યોજનાને નામે આ યોજના શરુ થવાની હતી પરંતુ કેન્દ્ર સરકારે આ યોજના પર વાંધો ઉઠાવ્યો છે.
કેન્દ્ર સરકારે દિલ્હી સરકારના ખાદ્ય આપૂર્તિ સચિવને એક પત્ર લખીને આ યોજના શરુ ન કરવાનું જણાવ્યું છે. કેન્દ્ર સરકારે આની પાછળ ફૂડ સિક્યુરોટી એક્ટનો દાખલો આપ્યો છે. કેન્દ્ર સરકારના જણાવ્યાનુસાર, ફૂડ સિક્યુરુટી એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર રેશન આપે છે તેથી દિલ્હી સરકારે આ યોજનામાં ફેરફાર ન કરવો જોઈએ.
25 માર્ચે ડોરસ્ટેપ રેશન યોજના શરુ થવાની હતી
દિલ્હીની કેજરીવાલ સરકારે આ યોજના માટે ટેન્ડર પણ બહાર પાડી ચૂકી હતી અને 25 માર્ચે તેને લોન્ચ પણ કરવાની હતી. આ યોજનાનું નામ મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના એવું આપવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરીને એવો આરોપ લગાવ્યો કે મોદી સરકાર રેશન માફિયાનો ખાતમો કરવાની વિરૃદ્ધ શા માટે છે. ઉલ્લેખનીય છે કે રેશન ડિલિવરી યોજના દિલ્હી સરકારના સૌથી ખાસ પ્રોજેક્ટમાંની એક છે જેની જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લોકો ઘેરબેઠા રેશન મેળવવા માગતા હોય તો તેઓ મેળવી શકે છે.