કુદરતી આફત અને કેલીમિટી ફંડમાં છેલ્લા 2 વર્ષમાં કુદરતી આફતમાં 1 હજાર 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 2 વર્ષમાં 1 હજાર 59 કરોડની ગ્રાન્ટ આપી હતી
કુદરતી આફતના 1 હજાર 165 કરોડ ખર્ચાયા જ નહિ
ગૃહમાં નેચરલ કેલીમિટી ફંડ પર સરકારનો જવાબ
કેન્દ્ર સરકારે 2 વર્ષમાં 1 હજાર 59 કરોડની ગ્રાન્ટ આપી
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બેજેટ સત્રમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પ્રશ્નમાં સરકારે કુદરતી આફત અને કેલીમિટી ફંડ પર જવાબ આપ્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું કે,
કુદરતી આફત અને કેલીમિટી ફંડમાં છેલ્લા 2 વર્ષમાં કુદરતી આફતમાં 1 હજાર 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 2 વર્ષમાં 1 હજાર 59 કરોડની ગ્રાન્ટ આપી હતી. તો સ ખાસ કરીને ગત મે મહિનામાં આવેલા તૌક્તે વાવાઝોડાએ ગીર-સોમનાથ ઉના -દીવ- જાફરાબાદ જેવા વિસ્તારોમાં તબાહી મચાવી હતી. કેસર કેરીઓના આંબાઓના સોથ વળી ગયા હતા. તો દરિયાઈ પટ્ટી પર નાળીયેરીનો પણ કચ્ચરઘાણ વળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ સેવાયો હતો.
રાજ્ય સરકારે બજેટ સત્રમાં કહ્યું કે, તૌકતેમાં નુકશાની બદલ સ્પેશિયલ પેકેજમાં 1 હજાર કરોડની ગ્રાન્ટ NDRFને અપાઈ હતી. રાજ્ય સરકાર પાસે સરકાર પાસે 1 હજાર 165 કરોડ હજુપણ વણવપરાયેલા રહ્યા છે
ગત મે મહિનામાં ત્રાટક્યું તૌક્તે
રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે તબાહી સર્જી હતી. તો રાજ્યના કેટલાક શહેરોમાં પણ વાવાઝોડાની અસરથી વ્યાપક નુકસાન થયું હતું . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત આવી નિરીક્ષણ પણ કર્યું હતું.અને ત્યારબાદ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ ત્રણેય જિલ્લાના પ્રભાવિત વિસ્તારોનું તેમજ દીવનું હવાઈ નિરીક્ષણ કરવા ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે બેઠક કરી હતી
હજારોની સંખ્યામાં થાંભલાઓ તૂટી ગયા
69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાથી તેમાં વીજ પુરવઠાની અસર પહોંચી હતી. જેમાંથી 83 કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ગયો હતો . 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી . તો 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થયા અને 112 રસ્તાઓ ફરી કાર્યરત કરવાની કામગીરી પાછળથી ચાલુ કરવામાં આવી હતી.