કોવેક્સીન વેક્સિનના બંને ડોઝ લીધા બાદ બૂસ્ટર ડોઝની વાતોને લઈને કેન્દ્રએ મોટી જાહેરાત કરી છે અને અફવાને પૂર્ણવિરામ આપ્યું છે.
કોવેક્સીનના બંને ડોઝ લઈ ચૂકેલા માટે મોટા સમાચાર
જાણો કેન્દ્રએ વેક્સિનેશનને લઈને શું કહ્યું...
બૂસ્ટર ડોઝની વાતોને લઈને કેન્દ્રએ મોટી જાહેરાત કરી
કોવેક્સીન વેક્સિનના બંને ડોઝ લીધા બાદ બૂસ્ટર ડોઝની વાતોને લઈને કેન્દ્રએ મોટી જાહેરાત કરી છે અને અફવાને પૂર્ણવિરામ આપ્યું છે. સૂત્રોનો દાવો છે કે ન તો કોઈ પણ સાયન્ટિફિક કમ્યુનિટીએ આ વિશે સરકારને કોઈ સલાહ આપી છે અને ન તો તેની પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કોવેક્સીનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તરફથી જલ્દી ઈમરજન્સી યૂઝની મંજૂરી મળી શકે છે. આ મહિનાના અંત સુધીમાં તેની કાર્યવાહી પૂરી કરાશે અને તેને જલ્દી મંજૂરી મળશે. ભારતમાં ડિસેમ્બર સુધી 18થી વધારેની ઉંમરના લોકોનું વેક્સિનેશન પૂરું કરાશે. સરકારનું કહેવું છે કે દેશમાં સૌને માટે વેક્સિન મળી રહેશે.
સપ્ટેમ્બરથી વધુ 3 દવા કંપનીઓ કરશે વેક્સિનનો સપ્લાય
ભારત સરકાર સપ્ટેમ્બર મહિનાથી 3 વધુ દવા કંપનીના વેક્સીનનું સપ્લાય શરૂ કરશે. ભારતમાં કુલ 6 કંપનીઓ કોરોનાની વેક્સિનનું નિર્માણ કરશે. 3 કંપનીઓ ભારત સરકારને હાલમાં વેક્સિન આપી રહી છે. ઓગસ્ટમાં 20 કરોડ ડોઝ અને સપ્ટેમ્બરમાં 25 કરોડ ડોઝ કેન્દ્ર સરકારની પાસે રહેશે. ઓગસ્ટમાં 60-65 લાખ ડોઝ અપાશે. જરૂર પડે તો 1 કરોડ ડોઝ હાજર રહેશે. લોકોની જરૂરિયાત અનુસાર માંગ પૂરી કરાશે. રાજ્ય સરકાર પાસે બુધવારે 3 કરોડ જોઝ અને ખાનગી હોસ્પિટલ પાસે 2 કરોડ ડોઝનો સ્ટોક હતો.
WHO એ કરી બૂસ્ટર ડોઝ ન આપવાની અપીલ
WHO એ સપ્ટેમ્બરના અંત સુધી કોવિડના બૂસ્ટર ડોઝ પર રોક લગાવવાની અપીલ કરતા કહ્યું છે કે ગરીબ અને અમીર દેશની વચ્ચે વેક્સિનેશનમાં વિસંગતિને લઈને ચિંતા જોવા મળી રહી છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અઘોનમ ગેબ્રેયેસસે એક સંમેલનમાં કહ્યું કે અમીર દેશમાં પ્રતિ 100 લોકોમાં અત્યાર સુધીમાં 100 ડોઝ અપાયા છે જ્યારે વેક્સિનના અભાવમાં ઓછી આવકવાળા દેશોમાં 100 વ્યક્તિમાંથી ફક્ત 1.5ને ડોઝ આપવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે વિજ્ઞાનમાં પણ એ વાત સાબિત થઈ નથી કે વેક્સિનના 2 ડોઝ લાગેલા લોકોને બૂસ્ટર ડોઝ આપવાથી કોરોનાના સંક્રમણને રોકવામાં મદદ મળશે.