કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે દેશના 50% ગરીબો માટે 65 હજાર કરોડ રૂપિયાની મદદ કરવા માટે માંગ કરી, પરંતુ કેન્દ્ર સરકારે આ પહેલાથી તમામ ગરીબોની મદદ માટે 1.7 લાખ કરોડ રૂપિયાની પીએમ ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી ચૂકી છે.
કેન્દ્ર દ્વારા વિત્ત વર્ષમાં 4 લાખ કરોડ રૂપિયા માત્ર સબસિડી અને કલ્યાણમાં આપ્યા
કોંગ્રેસ સાસંદ રાહુલ ગાંધીએ ગરીબો માટે 65 હજાર કરોડ રૂપિયાની માંગ કરી હતી
જ્યારે 1.70 લાખ કરોડ રૂપિયાની યોજના પર પહેલાથી અમલ થઇ રહ્યો છે.
સરકાર પીએમ-કિસાન, જનધન ખાતા વગેરેની મદદથી રકમ મોકલી રહી છે
આ યોજનામાં લગભગ 39 કરોડ લાભાર્થીઓના ખાતામાં 34800 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. જ્યારે આખા વિત્ત વર્ષની વાત કરવામાં આવે તો ફૂડ, એલપીજી, કેરોસીન અને ફર્ટિલાઇઝર સબસિડી માટે 2 લાખ 27 હજાર 793.89 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બંનેને જો ભેગા કરવામાં આવે તો 4 લાખ કરોડ રૂપિયા તો માત્ર ગરીબો અને ખેડૂતો માટે છે.
કેન્દ્ર સરકારે આ વખતે બજેટમાં કુલ 2 લાખ 27 હજાર 793.89 કરોડ રૂપિયા સબસિડી જાહેર કરી હતી જે ગત વર્ષે 2 લાખ 27 હજાર 355 કરોડ રૂપિયાની સરખામણીએ 0.23 % વધારે છે, જેમાં ખાદ્ય સબસિડી માટે 1.15 લાખ કરોડ રૂપિયા. એલપીજી અને કેરોસીન સબસિડી માટે 40 915 કરોડ રૂપિયા અને ફર્ટિલાઝઇર માટે 71309 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે 26 માર્ચના લૉકડાઉન હેઠળ રાહત આપવા માટે 1.7 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. આ હેઠળ સરકારે ગરીબોને મફતમાં ખાદ્યાન્નની સાથે મહિલાઓ, વુદ્ઘો અને ખેડૂતોની રોકડ આપવાની જાહેરાત કરી હતી. વિત્ત મંત્રીએ જણાવ્યુ કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ લગભગ 39 કરોડ લાભાર્થીઓને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની મદદથી અત્યાર સુધી 34800 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી ચૂકી છએ.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 8.19 કરોડ લાભાર્થીઓને પહેલા હપ્તા હેઠળ 5 મે સુધી કુલ 16394 કરોડ રૂપિયાની ચૂકવણી થઇ ચૂકી છે. કેન્દ્રથી વિત્ત મદદના રૂપ તેમના ખાતામાં 2-2 હજાર રૂપિયા આવી ચૂક્યા છે. આજ રીતે 20.05 કરોડ મહિલાના જનધન ખાતામાં 500 રૂપિયાની પહેલો હપ્તાની હેઠળ 10025 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જેમાં લગભગ 8.72 કરોડ મહિલા જનધન ખાતામાંથી રૂપિયા ઉપાડી ચૂકી છે. 5.57 કરોડ મહિલાના જનધન ખાતામાં બીજા હપ્તા તરીકે કુલ 2785 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આ સિવાય રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ હેઠળ 2.82 કરોડ રૂપિયા વુદ્ઘો, વિધવાઓ અને દિવ્યાંગોને 1400 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે.
આ સિવાય વિત્ત મંત્રાલય અનુસાર, 2.43 લાખ ટન દાળ તમામ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોને પહોંચાડવામાં આવી છે. 19,2 કરોડ લાભાર્થીઓમાંથી 5.21 કરોડ લોકોને દાળ મળી ચૂકી છે. આ સિવાય પેકેજ પર કેન્દ્ર તથા રાજ્ય સરકાર નજર રાખી રહી છે. યોજનાથી સંબંધિત મંત્રાલય, કેન્દ્રીય સચિવાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય જરૂરિયાતમંદો સુધી સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્ન કરી રહી છે.