ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે ઑક્સીજનની અછતના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.
ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે ઑક્સીજનની અછત
વિદેશોથી ઑક્સીજન તથા તેના પ્લાન્ટ લાવવાની શરૂઆત
ગૃહમંત્રીએ બંધ પડેલા યુનિટને ફરીથી શરૂ કરવાના આપ્યા આદેશ
કોરોના વાયરસના કારણે દેશમાં ઑક્સીજનની અછત ઊભી થઈ છે ત્યારે આ અછતને દૂર કરવા માટે મોદી સરકાર તરફથી હવે એક્શનમાં કામ કરવામાં આવી રહ્યું છે. એરફોર્સ તથા રેલવેની મદદથી ઑક્સીજન પહોંચાડવામાં આવી રહ્યો છે ત્યારે હવે રક્ષા મંત્રાલય દ્વારા મદદ કરવામાં આવી રહી છે.
IAF's C-17 aircraft arrived at Singapore's Changi International Airport today to load 4 containers of cryogenic oxygen tanks. The aircraft will offload these containers at Panagarh airbase by today evening. pic.twitter.com/kzOHOpKCkW
ભારત સરકારે હવે વિદેશોથી પણ ઑક્સીજનને એરલિફ્ટ કરીને લાવવા માટે એરફોર્સની મદદ લેવામાં આવશે. સિંગાપુર, UAEમાંથી ઑક્સીજનના ટેન્કર લઈને આવવામાં આવી રહ્યા છે અને આ પહેલા જર્મનીથી પણ ઑક્સીજન પ્લાન્ટ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમિત શાહે આપ્યા આ આદેશ
ઑક્સીજનની આ અછત વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યોને ઉત્પાદન વધારી દેવ માટે બંધ પડેલા ઑક્સીજન યુનિટને ફરીથી ચાલુ કરવાના આદેશ આપ્યા છે જેથી ઑક્સીજનની કમીને દૂર કરી શકાય.
ઑક્સીજન માટે લેવામાં આવ્યા મોટા નિર્ણય
પીએમ મોદીએ આ બેઠકમાં ઑક્સીજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી. પીએમ મોદીએ ઘરે તથા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને વહેલામાં વહેલી તકે મેડિકલ ઑક્સીજન મળી રહે તે માટે ભાર મૂક્યો.
તાત્કાલિક રૂપે આદેશને લાગુ કરવાનો નિર્ણય
પીએમ મોદીએ બધા જ મંત્રાલયો તથા ડિપાર્ટમેન્ટને ઑક્સીજનના જથ્થા માટે કામ કરવા માટે કામ કરવા આદેશ આપ્યા છે. પીએમ મોદીએ નિર્ણય લીધો છે કે તાત્કાલિક પ્રભાવથી ત્રણ મહિના માટે ઑક્સીજન તથા ઑક્સીજન સંબંધિત કોઈ પણ ઉપકરણ માટે આયાત કરવા પર બેઝિક કસ્ટમ ડ્યુટિ તથા હેલ્થ સેસમાંથી છૂટકારો આપવામાં આવ્યો છે.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ
ભારતમાં કોરોના વાયરસની ઘાતક લહેર દિવસેને દિવસે વધારે લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે ત્યારે આજે કોરોના વાયરસના નવા 3,46,786 કેસ સામે આવ્યા છે જ્યારે એક દિવસમાં કુલ 2,624 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.