કેન્દ્ર સરકારે દિલ્હી માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે દિલ્હીના ગૃહ ઉદ્યોગોને મજૂર, પ્રદૂષણ અને ઉદ્યોગ વિભાગ તરફથી કોઈ વાંધાજનક પ્રમાણપત્ર ( NOC ) લેવાની જરૂર રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે શરૂઆતમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
સરકારે દિલ્હીના ગૃહઉદ્યોગોને આપી મોટી ગિફ્ટ
આ નિયમથી 3 લાખ ઉદ્યોગોને થશે ફાયદોઃ પ્રકાશ જાવડેકર
આવતા વર્ષે શરૂઆતમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્હીના ગૃહ ઉદ્યોગોને પ્રદૂષણ, શ્રમ અને ઉદ્યોગ વિભાગ તરફથી કોઈ વાંધા પ્રમાણપત્ર (NOC) લેવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકારના આ નિર્ણયથી આશરે 3 લાખ ઘરેલુ ઉદ્યોગોને લાભ થશે.
પ્રકાશ જાવડેકરે કરી આ ટ્વિટ
પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યું હતું કે 'મોદી સરકારનો દિલ્હી માટેનો મોટો નિર્ણય છે. ગૃહ ઉદ્યોગ કે જેનું સંચાલન હવે સરળ થઈ ગયું છે. પ્રદૂષણ, શ્રમ અને ઉદ્યોગ વિભાગની એનઓસીની જરૂર નથી. ત્રણ લાખ ઘરેલુ ઉદ્યોગોને લાભ થશે. ઉલ્લેખનીય છે કે સરકાર વૈશ્વિક મંચ પર પણ ભારતમાં ઇઝ ઓફ બિઝનેસના મુદ્દા પર ચર્ચા કરી રહી છે.
.@narendramodi सरकार का दिल्ली के लिए एक बड़ा निर्णय। घरेलू उद्योगों का अब कार्य करना आसान हुआ । प्रदूषण, लेबर और उद्योग विभाग के एनओसी की जरूरत नहीं। तीन लाख घरेलू उद्योगों को होगा फायदा।@BJP4India@BJP4Delhi
અગાઉ, દિલ્હીમાં ચાલતા ગૃહ ઉદ્યોગોને સીલબંધીથી બચાવવા માટે સરકારે નક્કી કર્યું હતું કે નાના એવા એકમો કે જેમાં પ્રદૂષણ નથી, તે રહેણાંક વિસ્તારોમાં પણ ચલાવી શકાય છે. જો કે, લાઇસન્સ મેળવવું જરૂરી રહેશે. આ સિવાય સરકારે નાના ઉદ્યોગોની નોંધણી ફીમાં ઘટાડો કરી દીધો છે. સરકારના આ નિર્ણયોથી નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે. સરકારે પેટન્ટ માટેની ચૂકવણી કરવામાં આવેલી ફીમાં 60 ટકાનો ઘટાડો કર્યો છે. સરકારે ડિઝાઇન એપ્લિકેશન ફીમાં પણ 50 ટકાનો ઘટાડો કર્યો છે.