કેન્દ્ર સરકારે 2021ની વસતી ગણતરીને હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે અને આ સંબંધમાં લોકસભાને જાણ કરાઈ છે.
ગૃ઼હરાજ્યમંત્રી નિત્યાનંદ રાયનો લોકસભામાં જવાબ
2021ની વસતી ગણતરી મોકૂફ રહેશે
કોરોના મહામારીને કારણે નિર્ણય લેવાયો
સરકાર હાલમાં જાતિ આધારિત ડેટા નહીં રિલિઝ કરે
2021ની વસતી ગણતરી અને તે સંબંધિત તમામ કામ સરકારે મોકૂફ કરી દીધા છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જવાબ આપ્યો હતો. નિત્યાનંદ રાવે જણાવ્યું કે કોરોના મહામારીને કારણે 2021ની વસતી ગણતરી અને તે સંબંધિત તમામ કામ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે વસતી ગણતરી માટે ફરી વાર નિર્ણય લેવામાં આવશે.
As informed by the Ministry of Social Justice and Empowerment, there is no proposal to release the
caste data at this stage: MoS Home Nityanand Rai to Lok Sabha on socio-economic caste census
જાતિ આધારિત ડેટા રિલિઝ નહીં થાય
કેન્દ્રીય મંત્રી રાયે લોકસભામાં જણાવ્યું કે જાતિ આધારિત ડેટા બહાર પાડવાની સરકારની કોઈ ઈચ્છા નથી. મંત્રીએ કહ્યું કે સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે હાલના તબક્કે જાતિ આધારિત ડેટા બહાર પાડવાની કોઈ દરખાસ્ત નથી.
અગાઉ પણ વસ્તી ગણતરી અભિયાન મોકૂફ રખાયું હતું
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે અગાઉ પણ વસતી ગણતરી બંધ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગયા વર્ષે 7 ડિસેમ્બરે સંસદમાં માહિતી આપી હતી કે કોવિડ -19 રોગચાળાને કારણે વસ્તી ગણતરી 2021 અને વસ્તી ગણતરી સંબંધિત પ્રવૃત્તિઓ મુલતવી રાખવામાં આવી છે. ત્યારે સરકારે કહ્યું હતું કે આગામી વસ્તી ગણતરી, જેમાં વસ્તીવિષયક અને વિવિધ સામાજિક-આર્થિક માપદંડો જેવા કે શિક્ષણ, એસસી/એસટી, ધર્મ, ભાષા, લગ્ન, પ્રજનનક્ષમતા, વિકલાંગતા, વ્યવસાય અને વ્યક્તિઓના સ્થળાંતર પર ડેટા એકત્રિત કરવામાં આવે છે, તે પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે.