વર્ષ 2021માં જનસંખ્યાની ગણતરી માટે સવાલોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જનગણતરીમાં લોકોને તેમના દ્વારા ખાવામાં ઉપયોગમાં લેવાતા મુખ્ય અનાજ વિશે સવાલ પૂછવામાં આવશે. એવામાં આપને પૂછવામાં આવશે કે, આપ ભાત વધારે ખાવ છો કે રોટલી...કાળી દાળ ખાવ છો અથવા પીળી દાળ વગેરે.
વર્ષ 2021માં જનસંખ્યાની ગણતરી માટે સવાલોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે
ફોર્મમાં પરિવારના મુખ્ય વ્યક્તિની લિંગથી લઇને ટૉઇલેટના પ્રકાર જેવા કુલ 31 સવાલ છે
રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા અને જનસંખ્યા ગણતરી કમિશનરે ગુરુવારે સૂચના જાહેર કરી
રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા અને જનસંખ્યા ગણતરી કમિશનર વિવેક જોશી દ્વારા ગુરુવારે સૂચના જાહેર કરવામાં આવી.
આ સૂચનામાં જનસંખ્યા ગણતરી 2021ના ફોર્મમાં પૂછવામાં આવનારા સવાલોને વિશે જાણકારી આપવામાં આવી છે. ફોર્મમાં પરિવારના મુખ્ય વ્યક્તિની લિંગથી લઇને ટૉઇલેટના પ્રકાર જેવા કુલ 31 સવાલ છે. આ ઉપરાંત તેમા એવા સવાલ પણ છે કે, આપની પાસે રેડિયો, ટ્રાન્ઝિસ્ટર અથવા ટીવી છે કે નહીં. તેની સાથે અન્ય વિદ્યુત ઉપકરણો વિશે પણ જાણકારી માંગવામાં આવશે.
Registrar General and Census Commissioner of India Vivek Joshi issues notification on information to be sought by Census officers during census 2021. pic.twitter.com/A2eybMitWy
પરિવારમાં કુલ સભ્યોની સંખ્યા, પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, વીજળીનો સ્ત્રોત, પરિવારના મુખ્ય વ્યક્તિનું નામ, ઘરમાં લેપટોપ અથવા કોમ્પ્યુટર છે કે નહીં જેવા સવાલો તેમા સામેલ છે. ઘરમાં બાઇક અથવા સ્કૂટર છે? કાર અથવા જીપ અથવા કોઇ વેન છે કે નહીં એવા સવાલ પણ પૂછવામાં આવશે.
નોંધનીય છે કે, ભારતની જનસંખ્યા ગણતરી 2021ની પ્રક્રિયા માટે 8,754.23 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર મુજબ, જનસંખ્યા ગણતરી માટે કોઇ લાંબુ ફોર્મ નહીં ભરવું પડે. તે સ્વયં જાહેર કરવામાં આવ્યા મુજબ હશે.