અચાનક પડેલા વરસાદને કારણે રદ્દ થયેલ ભારત અને ન્યૂઝીલેન્ડ રમાનાર વન-ડેનું દુ:ખ ક્રિકેટ ચાહકોની સાથે જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચનને પણ થયું હતું. તેમણે આ મામલે ગુસ્સો તો ના વ્યક્ત ના કર્યો પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને હળવો કટાક્ષ કર્યો હતો. તેમણે એક તરફ મેચ રદ્દ થવાનું દુ: ખ તથા ભારતમાં વરસાદ મોડો હોવાનો પણ ખેદ વ્યક્ત કર્યો હતો.
વર્લ્ડ કપ મેચ ભારતમાં રમાડો
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું કે, વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ ભારતમાં શિફ્ટ કરી દેવામાં આવે, અમારે વરસાદની ખુબ જ જરૂર છે. આ પ્રકારના ટ્વીટ બાદ તેમના સેન્સ ઓફ હ્યુમરના ચોતરફ વખાણ કરવામાં આવી રહ્યા છે.
shift the tournament WC 2019 to India .. we need the rain .. !!! 🤣🤣🤣 https://t.co/KcGAAEODyr
ભારતની વર્લ્ડ કપમાં ગુરૂવારે ત્રીજી મેચ હતી. આ મેચને લઇને ભારતીય ચાહકો ખુબ જ ઉત્સાહિત હતી પરંતુ વરસાદે તમામની આશાઓ પર પાણી ફરવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, અમિતાભ ક્રિકેટના ચાહક છે.
ટ્વીટર એકાઉન્ટ થયું હતું હેક
આ સાથે જ તેઓ ટ્વીટર દ્વારા રમત સહિત અન્ય મુદ્દાઓ મામલે પોતાનો અભિપ્રાય અવાનરવાર આપતા રહે છે. આપને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચનનું ટ્વીટર એકાઉન્ટ થોડા સમયગાળા પહેલા હેક થયું હતું અને તેમના એકાઉન્ટ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની તસવીરો લાગી હતી.