સેલિબ્રિટી ટ્વિટરની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર સરકારે અનેક મોટા ખુલાસા કર્યા છે.
ભાજપનાં મુખ્ય આઈટી પ્રમુખ અને 12 ઈન્ફ્લૂએન્સરન નામ સામે આવ્યા
કોરોના બાદ ગૃહમંત્રી પહેલી વાર મીડિયા સાથે વાત કરી રહ્યા છે
કોરોના બાદ ગૃહમંત્રી પહેલી વાર મીડિયા સાથે વાત કરી રહ્યા છે- અનિલ દેશમુખ
કોરોના બાદ ગૃહમંત્રી પહેલી વાર મીડિયા સાથે વાત કરી રહ્યા છે
મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યુ કે તપામાં ભાજપ આઈટી સેલના પ્રમુખ અને 12 ઈન્ફ્લૂએન્સરના નામ સામે આવ્યા છે. કોરોનાથી બહાર આવ્યા બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પહેલી વાર મીડિયા સાથે વાત કરી રહ્યા છે.
કોરોના બાદ ગૃહમંત્રી પહેલી વાર મીડિયા સાથે વાત કરી રહ્યા છે- અનિલ દેશમુખ
અનિલ દેશમુખે આ સ્પષ્ટ કરી દીધું છે કે તેમણે ક્યારેય નથી કહ્યું કે સેલિબ્રિટીની તપાસ થશે. દેશમુખે કહ્યું કે મારા નિવેદનોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. મે ક્યારેય નથી કહ્યું કે સેલિબ્રિટીની તપાસ કરવામાં આવશે. લતા મંગેશકરજી અમારા માટે ભગવાન છે. પૂરી દુનિયા સચિન ટેન્ડુલકરનું સન્માન કરે છે.
ભાજપનાં મુખ્ય આઈટી પ્રમુખ અને 12 ઈન્ફ્લૂએન્સરન નામ સામે આવ્યા
દેશમુખે કહ્યું કે અમે ભાજપ આઈટી સેલની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ. શું ટ્વીટ તેમના પ્રભાવમાં કરવામાં આવી હતી કે નહીં. મોટો ખુલાસો કરતા અનિલ દેશમુખે કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં ભાજપનાં મુખ્ય આઈટી પ્રમુખ અને 12 ઈન્ફ્લૂએન્સરન નામ સામે આવ્યા છે.
શું છે સમગ્ર મામલો
ખેડૂત આંદોલનને લઈને બોલીવુડની અનેક હસ્તિઓ, ક્રિકેટર્સ સહિત રમતગમત જગતના કેટલીક હસ્તિઓએ ટ્વીટ કરી હતી. મુંબઈ કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે આરોપ લગાવ્યો હતો કે ભાજપના દબાણમાં સેલિબ્રિટિઓએ ટ્વીટ કરી છે. આ આરોપના આધાર પર મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા હતા.
કોંગ્રેસના સચિવ સાવંતે આરોપ લગાવ્યો હતો
કોંગ્રેસના નેતા સચિવ સાવંતે આરોપ લગાવ્યો હતો કે અક્ષય કુમાર અને સાઈના નહેવાલે એક જેવા ટ્વીટ કર્યા છે. અમને લાગે છે કે આની પાછળ ભાજપ છે. સુનીલ શેટ્ટીએ એક ભાજપ નેતાને ટેગ પણ કર્યું છે. જે ભાજપની ભૂમિકાને સંપૂર્ણ ઉજાગર કરે છે. પાર્ટી (ભાજપ)ની બીસીસીઆઈમાં પણ ભૂમિકા છે અને એટલા જ માટે કદાચ ક્રિકેટર્સ પણ એક જ દિશામાં ટ્વીટ કર્યા છે. આપને જણાવી દઈએ કે ખેડૂત આંદોલન અંગેના ટ્વીટરોમાં ભારત રત્ન લતા મંગેશકર, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કંગના રનૌત જેવી અનેક હસ્તીઓ શામેલ છે.