હાલમાં જ રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝના અંતે ગોડ ઓફ ક્રિકેટ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને હોસ્પિટલમાં દાખલ થયા હતા જેના પર મહારાષ્ટ્રના મંત્રીનુ નિવેદન આવ્યુ છે.
સેલેબ્સને લઇને આવ્યુ નિવેદન
અસલમ શેખે કરી ટિપ્પણી
હોસ્પિટલમાં દાખલ થવાની નહોતી જરૂર
વર્લ્ડ સેફ્ટી સિરીઝમાં રિટાયર થઇ ચૂકેલા ક્રિકેટર્સે ભાગ લીધો હતો અને તે જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ સ્ટેડિયમમાં હાજ રહ્યાં હતા. આ સ્ટેડિયમમાં ભારત અને વિદેશી ખેલાડીઓ આવ્યા હતા. જેમને જોઇને નોસ્ટાલ્જીક ફીલીંગ આવી રહી હતી પરંતુ ટુર્નામેન્ટ પત્યા બાદ ઘણા ખેલાડીઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો.
સચિનને પોઝીટીવ
દિગ્ગજ ભારતીય ખેલાડી સચિન તેંડૂલકર આ ટુર્નામેન્ટના અંતે કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા આ તેમના ફેન્સ માટે મોટો ઝટકો હતો. કોવિડના પ્રોટોકોલના કારણે આ સિરીઝમાં સામેલ થયેલા બધા ખેલાડીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં સચિન સંક્રમિત છે તેવુ સામે આવ્યુ હતુ.
ઘરમાં જ થયા હતા આઇસોલેટ
સચિનને જ્યારે ખબર પડી કે તે પોઝીટીવ છે ત્યારે ઘરમાં જ આઇસોલેટ થઇ ગયો હતો અને ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યો હતો પરંતુ થોડા દિવસ બાદ હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ હતુ.
મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખનું નિવેદન
અસલમ શેખે ન્યુઝ એેજન્સી એએનઆઇમાં આપેલ એક નિવેદનમાં કહ્યું કે, એસિમ્પ્ટોમેટિક સેલિબ્રીટીઝનો ઇલાજ ઘરે જ થવો જોઇએ. તે લોકોએ હોસ્પિટલમાં બેડ પર કબ્જો ન જમાવવો જોઇએ. અક્ષય કુમાર, સચિન તેંડૂલકર જેવી હસ્તીઓએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર જ નહોતી. દવાખાનામાં બેડ જરૂરિયાતમંદ લોકો માટે રહેવા જોઇએ.
સચિને ટ્વિટ કરીને માહિતી આપી હતી
કોવિડ -19 ટેસ્ટમાં સચિન ઉપરાંત એસ બદ્રીનાથ, યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ પણ પોઝિટિવ આવ્યા હતા. રાયપુરમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે સચિનની કપ્તાની હેઠળ જીત મેળવી હતી. સચિને તેની હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી અંગે પણ ટ્વિટ કરી હતી. સચિને ટ્વિટ કરીને લખ્યું કે તમારી ઇચ્છાઓ અને પ્રાર્થના બદલ આભાર. તબીબી સલાહ હેઠળ સાવચેતી તરીકે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું આશા રાખું છું કે થોડા દિવસોમાં ઘરે પરત ફરીશ. તમારી સંભાળ રાખો અને સલામત રહો.