રાજકોટમાં 70માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઇ હતી. રાજ્યના સૌથી લાંબા ધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઇ હતી. મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ યાત્રામાં જોડાયા હતાં.
#Rajkot માં 70 માં #RepublicDay ની ઉજવણી
200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે #Tiranga યાત્રા
રાજ્યના સૌથી લાંબા ધ્વજ સાથે તિરંગા યાત્રા
શહેરના અલગ માર્ગો પર ફરશે તિરંગા યાત્રા
મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ યાત્રામાં જોડાયા pic.twitter.com/uq5l2PEePT
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની જિલ્લાના બાયડ ખાતે ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર એમ નાગરાજન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરાયું હતુ. આ પ્રસંગે જિલ્લા માંથી મોટી સંખ્યામાં લોકો ધ્વજ વંદન કાર્યક્રમ માં જોડાયા હતા અને રાષ્ટ્રદ્વાજને સલામી આપી દેશની આજાદી ને યાદ કરી હતી.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપતા ટેબ્લો પ્રદર્શન ગોઠવાયું હતું જ્યારે જિલ્લામાં પોલીસ સહિત વિવિધ વિભાગોમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા ત્યારે આજે અરવલ્લી જિલ્લો પણ દેશ ભક્તિના રંગમાં રંગાયો હતો અને 70મા પ્રજાસત્તાક પર્વની ભાવ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી.
ખેડા
ખેડા જિલ્લા ખાતે પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે. ખેડા જિલ્લાના વસો ખાતે ધ્વજ વંદન કરીને 70માં ગણતંત્રની ઊજવણી કરવામાં આવી. જ્યાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઈ ઠાકોરે ધ્વજ વંદન કરીને ઊજવણી કરી હતી. વિવિધ ઝાકી અને પોલીસ પરેડની લીધી સલામી. જિલ્લામાં ઉત્સાહનો માહોલ સાથે વિવિદ્ય જગ્યાએ ધ્વજ વંદન કરાવામાં આવ્યું.
ભાવનગર
ભાવનગરમાં 70માં પ્રજાસતાક પર્વની ઉજવણી ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવી છે. ચિત્રા ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થામાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકો વાલીઓ શિક્ષકો તેમજ આસપાસમાં રહેતા નગરજનો પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
બોટાદ
બોટાદના સાળંગપુર હનુમાન મંદિર ખાતે પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી. હનુમાન મંદિરમાં પણ અનોખી રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવી. હનુમાનજીને તિરંગાના શણગાર કરવામાં આવ્યા હતા. ભગવાનને પણ તિરંગાથી શણગાર કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ મંદિરે ઉમટી હતી. જ્યારે પોરબંદરની વાત કરવામાં આવે તો શ્રીરામ સ્વિમીંગ ક્લબ દ્વારા એક અલગ જ અંદાજમાં આ પર્વ ઉજવાયો. વહેલી સવારે આ ગ્રૂપના 150થી વધુ ભાઈઓ અને બહેનોએ મધદરિયે તિરંગો લહેરાવી દેશને સમ્માન આપ્યું. પોરબંદરમાં છેલ્લા 21 વર્ષથી શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા આ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
ગાંધીનગર
ગાંધીનગર ખાતે 70માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રામકથા મેદાન ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રજાસત્તાક દિવસને લઈને ધ્વજવંદન કર્યુ હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે ભારતમાં દુનિયાની સૌથી સફળ લોકશાહી છે. દુનિયામાં ભારતની નામના અને ગૌરવ વધ્યુ છે. લોકશાહી માટે અનેક સ્વાતંત્ર સેનાનીએ ભોગ આપ્યો છે.