આજે સમગ્ર દેશ આઝાદીની ઉજવણીના રંગે રંગાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ વદંન કર્યું છે. જ્યારે રાજ્યકક્ષાની છોટાઉદેપુર ખાતે ઉજવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી CM રૂપાણી છોટાઉદેપુર તિરંગો ફરતાવી કશ્મીર મુદ્દે સંબોધન કર્યું હતું. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને દેશવાસીઓને અભિયનંદન પણ પાઠવ્યા છે.
આજે દેશભરમાં 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંસદ ભવનથી શહેરોની શેરીઓ સુધી આજે ભારતના દરેક ગામ શહેરમાં તિરંગો લહેરાયો છે. તો રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપુર ખાતે કરવામાં આવી છે. ધ્વજવંદન કરી CM રૂપાણીએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે, 72 વર્ષ પહેલા ગુજરાતના બે વીર સપૂત ગાંધી-સરદારે સ્વરાજ અપાવ્યું અને આઝાદીના 72 વર્ષ બાદ ગુજરાતના બે નરબંકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે 72 વર્ષ પછી 2019માં પૂર્ણ સ્વરાજનું સપનું કાશ્મીરમાંથી કલમ 370 અને 35-Aને હટાવીને ભારતીયો માટે 73માં આઝાદી પર્વને ઐતિહાસિક બનાવ્યું છે. ગુજરાતે પણ ગાંધી સરદાર નરેન્દ્ર મોદી અમિત શાહના પદચિન્હો પર ચાલીને સુરાજ્ય, ગુડ ગવર્ન્સ નવતર કેડી પ્રસ્તાપિત કરી છે.
છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાની ઉજવણીમાં ધ્વજારોહણ પર હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તો DyCM નિતીન પટેલે વિસાવદરમાં ધ્વજવંદન કર્યું છે. તો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીએ ધ્વજવંદન કરીને ઉજવણી કરી છે. આ સિવાય સ્વતંત્રતાના 73માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવ્યું હતું. તો CM રૂપાણીએ ટ્વવીટ પર પોસ્ટ કરીને લખ્યુ છે કે, સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર દેશવાસીઓને અભિનંદન.