રૂપાણી સરકારના 5 વર્ષ પૂરા થતા આજે અમદાવાદમાં મુખ્યમંત્રી વિજયભાઈની હાજરીમાં શહેરીજન સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમા 5001 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
રૂપાણી સરકારના 5 વર્ષ પૂરા થતા ઉજવણી
અમદાવાદમાં આજે શહેરીજન સુખાકારી દિવસની ઉજવણી
મુખ્યમંત્રી રૂપાણી પણ કાર્યક્રમમાં આપશે હાજરી
ગુજરાત સરકાર દ્વારા સતત 5 વર્ષથી રાજ્યમાં ઘણા વિકાસના કામો કરવામાં આવ્યા છે. રૂપાણી સરકારના 5 વર્ષ હવે પૂરા થયા છે. જેથી તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સરકાર દ્વારા શહેરીજન સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે. જેમા મુખ્યમંત્રી રૂપાણી પણ હાજર રહેવાના છે.
5001 કરોડના વિકાસના કામ
આ કાર્યક્રમમાં CM રૂપાણી દ્વારા 5001 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ આજે 40 જેટલા કાર્યક્રમ યોજાવાના છે. જે કાર્યોક્રમોમાં સરકાર દ્વારા વિકાસના કામોને લીલીઝંડી આપવામાં આવશે.
મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના કામ
આ કાર્યક્રમમાં ખાસ કરીને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવશે. સાથેજ અર્બન ડેવલોપમેન્ડ મિશનના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ કરવામાં આવશે.
3 હજાર કરોડના ઓવરબ્રિજ બનશે
તે સિવાય ફાટક મુક્ત ગુજરાત માટે 3 હજાર કરોડના ખર્ચે 72 ઓવરબ્રિજ બનાવામાં આવશે. 425 ટીપી સ્કીમ અને 40 ડીપી સ્કીમને પણ મંજૂરી આપવામાં આવશે, ઓવરબ્રીજને બનવાથી રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થશે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા ઘણી વખત સર્જાતી હોય છે.