કાળી ચૌદસને નર્ક ચતુર્થી પણ કહેવામાં આવે છે. કાળી ચૌદસ એટલે મહાકાળીની કે શક્તિની ઉપાસના દિવ્ય શક્તિની પ્રાપ્તિ કાળી ચૌદસના દિવસે અનિષ્ટ તત્વો અને દૂષ્ટ તત્વો દૂર થાય તેવી કામના કરવામાં આવે છે.
અન્યનું ભલુ કરવામાં રક્ષણમાં શક્તિને વાપરવામાં આવે તેને મહાકાળી કહેવામાં આવે છે. આ પર્વ હનુમાનજી સાથે પણ સંકળાયેલો છે. પવન પુત્ર હનુમાનજીએ પણ પોતાની દિવ્યશક્તિ પ્રાપ્રત કરીને અન્યની સહાયમાં મહાવીર બનીને તેમનો ઉપયોગ કર્યો હતો.
આ અંગે સાળંગપુર હનુમાનજી મંદિરે પણ અનેક ભક્તો પોતાની આસ્થા અને આધ્યાત્મિક ઉન્નતિ અને સુખ સમૃદ્ધિની કામના સાથે આવે છે. તેમજ આ પર્વના દિવસે લોકો અલૌકિક શક્તિની ઉપાસના માટે તંત્ર સાધના કરતા હોય છે.
તાંત્રિક વિધિએ પોતાનામાં દિવ્યાતા જગાડવાની ઉપાસના છે. નહીં કે મહાકાલીની અંધભક્તિ કરવાનું સાધન માત્ર જ્યારે આ દિવસે સ્થાનિકો વડાને ચાર રસ્તા પર મુકીને પોતાનો કકળાટ કાઢવા માટે વડા અને પાણીનું અર્ધય ચડાવવાની વિધિ કરતા હોય છે.
આજે સ્મશાનમાં કાપાલિક અને કાળભૈરવની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે અને અંશ્રદ્ધામાં ગળાડૂબ લોકો તાંત્રિક પાસે પૂજા વિધિ કરાવતા હોય છે.