ભાવનગરનાં આંગણે BAPS નાં વડા મહંત સ્વામી ના ૮૫ માં જન્મ જયંતી ની ઉજવણી આજે ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશ વિદેશના ૬૦૦ થી પણ વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
મહંત સ્વામી મહારાજનાં જન્મ જયંતી પ્રસંગે વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો પણ બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી તેમજ વરિષ્ઠ સંતો ડો.સ્વામી વિવેકસાગર સ્વામી અને આત્મસ્વરૂપ સ્વામી સહીત અનેક સંતો હાજર રહ્યા હતા.
ભાવનગર યુનિવર્સીટી મેદાનમાં યોજાયેલ આ કાર્યક્રમ માં બી એ પી એસ સંસ્થાના સંતો એ મહંત સ્વામી મહારાજને વિવિધ રંગ બે રંગી પુષ્પ માળાઓ અર્પણ કરી જન્મદિન ની શુભેછા પાઠવી હતી નાનાં ભૂલકાઓ દ્વારા યોજાયેલ સંગીતમય ગીતો સાથે પોતાની કૃતિઓ રજુ કરી હતી.
મહંત સ્વામી મહારાજે ઉપસ્થિત સૌ હરિભક્ત ને આશીર્વાદ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે સત્સંગ કરવો અને તેના દ્વારા જ સારા વિશારો આવે છે. બધું જ કાર્ય ભગવાન પર છોડી દેવું જોઈએ જેથી મનમાં કોઈ ભાર ન લાગે જો કાર્ય ભગવાન પર ઢોળી દઈએ તો કાર્ય પણ પૂર્ણ થાય છે અને ભાર પણ નથી લાગતો.