ઓડિશામાં 14 ડિસેમ્બર, 2019થી 14 જાન્યુઆરી, 2020 સુધી મરીન ડ્રાઇવ ઇકો રિટ્રીટ નામથી આંતરરાષ્ટ્રીય સ્તરના કોસ્ટલ ફેસ્ટીવલનું આયોજન થવા જઇ રહ્યુ છે. આ ફેસ્ટીવલનું આયોજન કોણાર્ક પાસે થશે. આ ફેસ્ટીવલના આયોજનનો નિર્ણય ઓડીશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં લેવાયો હતો. જાણકારી અનુસાર આ ફેસ્ટીવલ મરીન ડ્રાઇવ પર આયોજિત થશે. સહેલાણીઓ તેમાં 3ડી મેપિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફૂડ ફેસ્ટીવલ, વોટર સ્પોર્ટ્સની સાથે એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકશે.
ઓડિશામાં આંતરરાષ્ટ્રીય સ્તરના કોસ્ટલ ફેસ્ટીવલનું આયોજન થશે
કાર્યક્રમ દરમિયાન સહેલાણીઓ માટે અહીં 50 શાનદાર ટેન્ટ કોટેજ બનાવવામાં આવશે. તેમાં પાણી અને વિજળીની આપુર્તિ જેવી સુવિધાઓ પણ હશે. સાથે સાથે કાર પાર્કિંગની સુવિધા પણ મળી શકશે. આયોજન સ્થળને સુંદર લાઇટિંગ અને અન્ય ચીજોથી સજાવાઇ છે. સરકાર તરફથી જારી કરાયેલી યાદી મુજબ પુરીની વિકાસ યોજનાઓ અને સમુકા પરિયોજના કોણાર્કમાં પર્યટકોના આગમનને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરશે. કોણાર્ક સુર્યમંદિર જગન્નાથપુરીથી લગભગ 35 કિલોમીટર દુર ઉત્તર-પૂર્વ દિશામાં સમુદ્ર તટ પર સ્થિત છે.
પોતાની વાસ્તુકળા અને નકશીકામ માટે દુનિયાભરમા પ્રસિધ્ધ આ મંદિરને 13મી શતાબ્દીમાં રાજ નરસિંહ દેવે બનાવ્યુ હતુ. ભગવાન સૂર્યને સમર્પિત આ મંદિર રથના આકારનું બનેલુ છે. પત્થરના 24 વિશાળ પૈડાવાળા આ રથને સાત ઘોડા ખેંચતા હોય તેવું દર્શાવાયુ છે. હિન્દુ માન્યતા અનુસાર સુર્ય દેવતાના રથમાં 12 પૈડાં છે અને રથને ખેંચવા માટે તેમાં સાત ઘોડા છે. રથના આકારમાં બનેલા કોણાર્કના આ મંદિરમાં પત્થરના પૈંડા અને ઘોડા બનાવાયા છે. અહીંની સુર્યની પ્રતિમા પુરીના જગન્નાથ મંદિરમાં સુરક્ષિત રખાઇ છે અને હવે અહીં કોઇ પણ મૂર્તિ નથી.
ઓડિશાના ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ આ પણ છે
જો તમને પ્રકૃતિ સાથે પ્રેમ હોય અને તમે પ્રકૃતિના નજારાઓને એકદમ નજીકથી જોવા ઇચ્છતા હો તો તમારે ઓડિશા જવું જ જોઇએ. પોતાની સંસ્કૃતિ અને મંદિરોની સાથે સાથે ઓડિશા પોતાના બીચ, ગાઢ જંગલ અને વાઇલ્ડ લાઇફ માટે પણ ફેમસ છે. ઓડિશાનું સૌથી મોટુ ખારા પાણીનું સરોવર ચિલિકા ઓડિશાના ત્રણ જિલ્લામાં ફેલાયેલું છે. પુરી શહેરથી 50 કિલોમીટર દુર સ્થિત આ લેકમાં ઘણા નાના નાના દ્રીપ પણ છે જે પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિધ્ધ છે. ઠંડીમા અહીં મોટી સંખ્યામા પક્ષીઓ આવે છે. કોણાર્ક મંદિર ઉપરાંત અહીંની સૌથી સુંદર ઇકો-સિસ્ટમ પણ છે. મહાનદીની પાસે ખુબ સુંદર તંગ નદી ઘાટી છે. મહાનદીમાં બોટિંગ પણ કરી શકાય છે. ચંદ્રભાગા બીચ તેના સુર્યાસ્ત માટે જાણીતો છે. જો તમે વિચારતા હો કે અહીં સુર્યાસ્તનો નજારો કેટલો લોભામણો હોઇ શકે છે, તો એ જાણીલો કે અહીંનુ આ દ્રશ્ય અહીંની ઓળખ બની ચૂક્યું છે.