દિવાળીના દિવસે પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.LOC પાસે રાજોરી જીલ્લાના સુંદરવન સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરીંગ કરવામાં આવી રહી છે. ફાયરીંગમાં ભારતનો એક જવાન ઈજાગ્રસ્ત થઇ ગયો છે. જોકે ભારતીય સેના તરફથી પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળી રહ્યો છે.
દિવાળીના દિવસે પણ પાકિસ્તાન જપતું નથી, LOC પર કરી ફાયરીંગ
LOCથી નજીકનાં ગ્રામીણ ઇલાકામાં ઘરોને મોટા પાયે નુકસાન થયું
ફાયરીંગમાં ભારતનો એક જવાન થયો ઈજાગ્રસ્ત
પાકિસ્તાનને મળ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાન એની નાપાક હરકતોથી બહાર જ નથી આવી રહ્યું. દિવાળીના દિવસે પણ પાકિસ્તાન તરફી ફાયરીંગ ચાલુ જ છે આજે પણ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી થઇ રહેલી ફાયરીંગનું ભારતીય સેના સામનો કરી રહી છે ત્યારે ભારતનો એક જવાન ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. દિવાળીના દિવસે પાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેના તરફથી વળતા હુમલા કરવામાં આવી રહ્યા છે.
શનિવારે થયો હતો ગ્રેનેડ એટેક
શ્રીનગરમાં શનિવારે આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ એટેક કરવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રિય રીઝર્વ પોલીસ બળ ( CRPF)નાં ચાર સુરક્ષાકર્મી ઈજાગ્રસ્ત થયા હતા.
ફાયરીંગમાં એક વ્યક્તિનું મોત
શનિવારે પાકિસ્તાને રહેણાંક વિસ્તારમાં ફાયરીંગ કરતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જમ્મુ કાશ્મીરનાં કુપવાડા જીલ્લામાં તંગધાર વિસ્તારમાં આ ફાયરીંગ કરવામાં આવી હતી. જેમાં ઘણા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અ ઉપરાંત LOCથી નજીકનાં ગ્રામીણ ઇલાકામાં ઘરોને મોટા પાયે નુકસાન થયું છે.
લોકોમાં ભયનો માહોલ
પાકિસ્તાન હવે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે જેના લીધે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી થઇ રહી છે અને દરેકના મનમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન તરફથી મોર્ટારથી બચવા માટે લોકો ઘરોમાં છુપાઈને રહે છે. હાલ એટલા ગંભીર છે કે લોકો પોતાના ખેતરોમાં જતા પણ ગભરાઈ રહ્યા છે. ગરમીન ઇલાકાના લોકો કહી રહ્યા છે કે અંધાધુંધ ફાયરીંગથી બચવા માટે અમે કોઈ ઘરની બહાર નથી નીકળી રહ્યા.