નવી દિલ્હીઃ રમઝાનના પાક મહીનો પુરો થયો અને તેની સાથે સીઝફાયર પર પુરુ થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળોના ઓપરેશન પર લાગેલો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો છે.
આખો એક મહીનો જે શાંતિના ઉદેશ્યથી ગૃહમંત્રાલયે આ પ્રયત્નોને આગળ વધારવાના પ્રયત્નો કર્યા હતા તેના પર આતંકવાદીઓએ પોતાની નાપાક પ્લાન પર પાણી ફેરવી દીધુ. તેની સાથે આજે ફરી ખીણમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ નવેસરથી સાથે શરૂ થશે.
આ વખતે સેનાને આશા પણ વધુ છે એટલે છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે આ ખીણમાં પરિસ્થિતિઓ બની છે તેને પાર લાવવી સરળ નથી. સેના માટે આવનારા દિવસોમાં હવે ત્રણ મોર્ચા પર પોતાને મજબૂતીથી રજૂ કરવા પડશે.
1. અમરનાથ યાત્રાની સુરક્ષા
ઈદના પવિત્ર તહેવાર બાદ હવે સેના અને સરકાર માટે આગામી મોટુ લક્ષ્ય છે શાંતિપૂર્ણ રીતે અમરનાથ યાત્રાને પૂરી કરાવવી. અમરનાથ યાત્રા હંમેશાથી આતંકવાદીઓના નિશાના પર રહી છે 28 જૂનથી શરૂ થઇ રહી આ યાત્રા માટે કેટલાક પ્રકારના અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં જ આઇ ઇન્ટેલીજેન્સના એક રિપોર્ટનું માનીએ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના અંદાજિત 450 પાકિસ્તાની આતંકવાદી બોર્ડર પર અમરનાથ યાત્રને પોતાનું નિશાન બનાવવા તૈયાર બેઠા છે.
2. આતંકવાદીઓનો નવો પેંતરો લોકલ જ નિશાને
આતંકવાદીઓ તરફથી પહેલા ખીણમાં સીધા સુરક્ષા જવાનોને નિશાને લીધા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં લોકલને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. પત્રકાર શુજાત બુખારી જવાન ઔરંગઝેબ અને તે સિવાય રવિવારે જ એક સામાન્ય નાગરિકને ગોળી મારી હતી. આ સિવાય પણ રવિવારે એક નાનો વિસ્ફોટ કર્યો.
સેનાની સામે મુશ્કેલી એ છે કે આતંકવાદીઓએ આ હુમલાથી સ્થાનિક લોકોને કઇ રીત બચાવવામાં આવે અને આમાં પણ તે લોકો આતંકવાદીઓના નિશાનપ ર છે જે દરેક મોર્ચે સેનાની સાથે ઉભા રહે છે.
3. ઘર બાદ બોર્ડરને પણ રાખવાની છે સુરક્ષિત
જમ્મૂ-કાશ્મીરમાં સેના માટે બીજા મોર્ચામાં કેટલાક પડકારો છે. એક બીજો જ્યાં રાજ્યમાં થઇ રહેલ આતંકવાદીઓના હુમલાને પાર પાડવાનો છે તો બોર્ડર પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ સીઝફાયર પર પણ રોક લગાવવાની છે.
પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોમાં બોર્ડર પર અંધાધુંધ ફાયરિંગ કરી રહ્યું છે આ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસીથી કેટલાક સ્થાનિક નિવાસીઓને હટાવવા પણ પડ્યા છે. બોર્ડર પર પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવેલ ફાયરિંગનુ જ કારણ રહ્યું જે આ વખતે ઇદ પર જવાનો વચ્ચે મિઠાઇની આપ-લે ન થઇ.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલ હિંસા વચ્ચે રવિવારે જમ્મૂ કાશ્મીરમાં જાહેર એકતરફી સીઝફાયરે વિસ્તાર ન આપવાનો નિર્ણય કર્યો છે. આ સીઝફાયર રમઝાનના પાક મહીના દરમિયાન રાજ્યમાં 16 મેના રોજ જાહેર થયુ હતું. જણાવી દઇએ કે 17 મેથી 14 જૂનની વચ્ચે જમ્મૂ-કાશ્મીરમાં કુલ 62 આતંકવાદી ઘટનાઓ બની.