મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે આશા રાખી છે કે કોરોનાની બીજી લહેરની અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર થશે નહીં. આ સાથે મે મહિનાના મધ્યમાં કોરોના પીક પર હશે.
કોરોના સંક્રમણની નવી લહેર
કે.વી. સુબ્રમણ્યમે કહી મોટી વાત
અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર થશે નહીંઃ સુબ્રમણ્યમ
મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું કે કોરોના મહામારીનું સંક્રમણ આવનારા મહિનાના મધ્યમાં ચરમ સીમાએ પહોંચશે. પરંતુ આ સાથે તેઓ કહ્યું છે કે તેની અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર થશે નહીં. દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણની વચ્ચે તેઓએ આ વાત કહી છે. સુબ્રમણ્યમે કહ્યું કે કોરોનાના ચરમસીમાએ પહોંચવાનો તેમનો આ નિર્ણય ICMR સહિત અનેક સંગઠનોની શોધના આધારે આપવામાં આવી રહ્યું છે.
MSME ને બચાવવા માટે સરકારે ઉઠાવ્યા છે અનેક પગલા
અર્થવ્યવસ્થા પર હાલના સંક્રમણના પ્રભાવને વિશે સુબ્રમણ્યમે કહ્યું કે આ કોઈ વ્યાપક નથી કેમકે સરકારે ખાસ કરીને MSME ના ઉત્પાદનના નુકસાનને રોકવા માટે અનેક પગલાં લીધા છે. તેઓએ એમ પણ કહ્યું કે ભારતને કોરોના સંકટના આ સમયને અવસરમાં બદલવાની પહેલ છે અને આ સમયે તમામ આયાતની મુશ્કેલીઓને દૂર કરવા માટે સુધારાવાદી પગલા લેવાઈ રહ્યા છે.
જો દેશમાં લોકડાઉન આવશે તો અર્થવ્યવસ્થાને થશે મોટું નુકસાન
ઉલ્લેખનીય છે કે અમેરિકી બ્રોકરેજ કંપની બોફા સિક્યોરિટીઝે ચેતવણી આપતાં કહ્યું છે કે ભારતમાં એક મહિનાનું દેશવ્યાપી લોકડાઉન લગાવાશે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. બ્રોકરેજ કંપનીએ આશા રાખી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનીક સ્તરે જ લોકડાઉન લગાવવામાં આવે.
અર્થવ્યવસ્થાને લઈને શું કહ્યું છે નાણામંત્રીએ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસની મહામારીની બીજી લહેરથી દેશની અર્થવ્યવસ્થાને નુકસાનથી બચાવવા માટે અનેક ઉદ્યોગપતિઓ પાસે સૂચન માંગ્યા છે. સરકાર અનેક સ્તરે કોરોનાને રોકવાના પ્રયાસ કરી રહી છે અને સાથે જ જીવન અને આજીવિકાને બચાવી રાખવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર કોઈ લોકડાઉન લગાવશે નહીં અને કોરોનાની ચેઈનને તોડવા માટે સ્થાનિક સ્તરે જ પ્રતિબંધની મદદ લઈને કામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.