યસ બેંક મુદ્દે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) કે સુબ્રમણ્યમે રોકાણકારોને કહ્યું છે કે ચિંતા ન કરો, ભારતીય બેન્કિંગ ક્ષેત્ર બહુ સુરક્ષિત છે. મુશ્કેલીનો સામનો કરવામાં ભારતીય બેંક દુનિયામાં અવ્વલ છે. બેંકનું કેપિટલ ટુ રિક્સ અસેટ રેશિયો અન્ય દેશોની તુલનામાં બહુ વધુ છે.
ભારતીય બેન્કિંગ ક્ષેત્ર બહુ સુરક્ષિત છે : કે સુબ્રમણ્યમ
બેંક ડિપોઝિટ પર ઈન્સ્યોરન્સ પણ હવે 1 લાખથી વધારીને 5 લાખ કરી દેવાયું છે
બેંક ડિપોઝિટ પર ઈન્સ્યોરન્સ પણ હવે 1 લાખથી વધારીને 5 લાખ કરી દેવાયું છે. એટલે કોઈપણ રોકાણકારને ચિંતા કરવાની જરૂર નથી. તેમણે બેંકના રેશિયો વિશે સમજાવતા કહ્યું કે, વૈશ્વિક સ્તરે બેંકનો કેપિટલ ટુ રિસ્ક અસેટ રેશિયો એટલે કે CRAR 8 ટકા છે. જ્યારે ભારતમાં બેંક માટે CRAR 14.3 ટકા જેટલો છે. આ રીતે જોતા આપણી બેંકોને રિસ્ક ઉઠાવવાની ક્ષમતા વૈશ્વિક સ્તરે જોતા 80 ટકા વધુ છે. ડિપોઝિટર્સે ગભરાવાની જરૂર નથી. ઇન્ડિયન બેન્કિંગ સેક્ટર અને ડિપોઝિટર્સ નો એક-એક રૂપિયો બિલકુલ સુરક્ષિત છે.
Chief Economic Advisor K Subramanian: The margin of safety for our banks is huge. Our banks are well-capitalized and also that amount of deposits that are insured has been raised to 5 lakhs. There is absolutely no reason to worry, Indian banking sector is among the safest. (2/2) https://t.co/8ZSkYxmIDK
મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કહ્યું કે ભારતીય બેન્કોનો કેપિટલ આધાર મજબૂત છે અને તેથી ચિંતિત થવાની કોઇ જરૂર નથી. કોઇ બેન્કની સ્થિતિનો હિસાબ તેના બજાર મુડી અને જમાના રેશિયોના આધાર પર લગાવવો એક દોષપૂર્ણ વિશ્લેષણ છે.
આરબીઆઇએ પણ યસ બેન્કના ખાતાધારકોને ચિંતા નહીં કરવાની સલાહ આપી છે. રિઝર્વ બેન્કે કહ્યું, રિઝર્વ બેન્ક તમામ બેન્કોની દેખરેખ રાખે છે તેથી તમામ ખાતાધારકોને આશ્વસ્ત કરે છે કે તેમના કોઇપણ બેન્કમાં જમા પૈસાની સુરક્ષાને લઇને કંઇપણ ચિંતાજનક નથી.