ક્રેશ બાદ સીડીએસ જનરલ બિપિન રાવત જીવતા હતા અને પોતાનું નામ જણાવવામાં સક્ષમ હતા. નજરે જોનારે જે કહ્યું તે સાંભળી તમે રડી પડશો.
ક્રેશ બાદ સીડીએસ જનરલ બિપિન રાવત જીવતા હતા
બિપિન રાવતે ધીમા અવાજે પોતાનું નામ જણાવ્યું હતુ
બિપિન રાવતનું મોત હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં થયું
ક્રેશ બાદ સીડીએસ જનરલ બિપિન રાવત જીવતા હતા
તમિલનાડુના કુન્નુકમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશ બાદ સીડીએસ જનરલ બિપિન રાવત જીવતા હતા અને પોતાનું નામ જણાવવામાં સક્ષમ હતા. આ દાવો કર્યો છે. રાહત અને બચાવ દળમાં સામેલ એ વ્યક્તિએ જે સૌથી પહેલા ચોપરના વિખરાયેલા કાટમાળ પાસે પહોંચ્યો હતો. ઘટના બાદ રાહત અને બચાવ માટે પહોંચેલ ટીમમાં સામેલ એન સી મુરલી નામના આ બચાવકર્મીએ જણાવ્યું કે અમે 2 લોકોને જીવતા બચાવ્યા હતા. જેમાંથી એક સીડીએસ બિપિન રાવત હતા. તેમણે ધીમા અવાજે પોતાનું નામ જણાવ્યું હતુ. તેમનું મોત હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં થયું. અમે તે સમયે બીજા બચાવેલા વ્યક્તિની ઓળખ નહોંતા કરી શક્યા.
જનરલ રાવતના શરીરની નીચેનો ભાગ ખરાબ રીતે સળગી રહ્યો હતો
બચાવકર્મી મુજબ સીડીએસ જનરલ રાવતના શરીરની નીચેનો ભાગ ખરાબ રીતે સળગી રહ્યો હતો. આ બાદ તેમને બેડશીટમાં લપેટી એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા. એન સી મુરલી ફાયર સર્વિસ ટીમમાં સામેલ હતા. જે રાહત ટીમ ત્યાં પહોંચી હતી તેણે એમ પણ કહ્યું કે સળગતા વિમાનના કાટમાળને ઓલવવા માટે ફાયર સર્વિસ એન્જિનને ત્યાં સુધી જવા માટે રસ્તો નહોતો. તે આસપાસના ઘરો અને નદિઓમાંથી પાણી લઈને આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઓપરેશન ઘણું મુશ્કેલ હતુ.
Vice President M Venkaiah Naidu says "deeply shocked" at the demise of Chief of Defence Staff, General Bipin Rawat, his wife and other Armed Forces personnel in helicopter crash in Coonoor, Tamil Nadu pic.twitter.com/6fuVM5oIwR
વાયુસેના રેસ્ક્યૂ ટીમને સતત હેલિકોપ્ટર ખંડિત થઈ ચુકેલા ભાગો અંગે ગાઈડ કરી રહી હતી
રેસ્ક્યૂકર્મીના મુજબ દુર્ઘટના સ્થળની પાસે વૃક્ષ પણ હતા. મુશ્કેલ પરિસ્થિતિઓના કારણે બચાવ કાર્યોમાં મોડું થઈ રહ્યું હતુ. રેસ્ક્યૂકર્મીઓને 12 લોકોના મૃતદેહ મળ્યા. જ્યારે 2 લોકો જીવતા મળ્યા હતા. જીવતા મળેલા બન્ને લોકો ખરાબ રીતે સળગી રહ્યા છે. બાદમાં જીવતા બચાવવામાં આવેલા બીજા વ્યક્તિની ઓળખ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ તરીકે કરવામાં આવી હતી. ભારતીય વાયુસેના રેસ્ક્યૂ ટીમને સતત હેલિકોપ્ટર ખંડિત થઈ ચુકેલા ભાગો અંગે ગાઈડ કરી રહી હતી.
"I am deeply anguished by the helicopter crash in Tamil Nadu in which we have lost Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. They served India with utmost diligence. My thoughts are with the bereaved families, " tweets PM Modi pic.twitter.com/QidgyN3vdp
કટેરી ગામના લોકોએ જિલ્લાના અધિકારીઓને સમાચાર આપ્યા હતા
જે જગ્યાએ આ ચોપર ઘટનાનો શિકાર બન્યું ત્યાંથી લગભગ 100 મીટરના અંતર પર કાટેરી ગામ છે. ગામમાં રહેનારી પોથમ પોન્નમે ચોપરને ક્રેશ થતા પહેલા તેના પસાર થવાનો અવાજ સાંભળ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેની થોડી જ ક્ષણોમાં જોરદાર બ્લાસ્ટ થયો અને ખબર પડી કે હેલિકોપ્ટપ ક્રેસ થઈ ચૂક્યું છે. કટેરી ગામના લોકોએ જિલ્લાના અધિકારીઓને સમાચાર આપ્યા હતા. જે બાદ વિસ્તારમાં વીજળી તાત્કાલીક કાપી દેવામાં આવી હતી. જો કે ા લોકોએ ઘટના સ્થળે જવાનો પ્રયાસ કર્યો પણ પોલીસે તેમને રોકી દીધા હતા.
કેવી રીતે ઘટી દુર્ઘટના ? શું હોઈ શકે કારણ?
ડિફેન્સ એક્સપર્ટ્સના અનુસાર, Mi-17V5 હેલિકૉપ્ટર એક વીવીઆઈપી ટ્વિન એન્જિન હેલિકૉપ્ટર છે. સિયાચિનથી લઇને નૉર્થ ઈસ્ટના વિસ્તારો સુધી આ હેલિકૉપ્ટરનો ઉપયોગ રવામાં આવે છે. કુન્નૂરની આસપાસ ખરાબ હવામાનના કારણે દુર્ઘટના બની હોવાની શક્યતા છે. હજુ સુધી દુર્ઘટનાનુ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે.