કુન્નુરમાં ગઇકાલે ભારતીય વાયુસેનાનાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ વિપક્ષની પાર્ટીઓના નેતાઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
લોકોના મનમાં આશંકાઓ છે: સંજય રાઉત
આપ નેતા સંજય સિંઘે પણ ઊભા કર્યા સવાલ
કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં CDS જનરલ રાવતનું નિધન થયું હતું
લોકોના મનમાં આશંકાઓ છે: સંજય રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યારે દેશમાં સર્વોચ્ચ સેનાપતિ જ સુરક્ષિત નથી તો દેશનું શું થશે? તેમણે કહ્યું કે MI-17V5 રશિયાનું સૌથી અત્યાધુનિક હેલિકોપ્ટર હતું. લોકોના મનમાં આશંકાઓ છે, શું થયું? આ કઈ રીતે થઈ શકે છે? લોકોના મનની શંકાઓને દૂર કરવાની જવાબદારી પ્રધાનમંત્રી અને રક્ષામંત્રીની છે.
વિપક્ષના નેતાઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે
તમિલનાડુનાં કુન્નુરમાં ગઇકાલે ભારતીય વાયુસેનાનાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ દેશના સેનના સર્વોચ્ચ અધિકારી CDS જનરલ રાવત અને તેમના પત્ની સહિત 13 જવાનો શહીદ થયા છે. આજે લોકસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે સમગ્ર ઘટનાની જાણકારી આપી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારે આ મુદ્દે હવે વિપક્ષની પાર્ટીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
આપ નેતા સંજય સિંઘે પણ ઊભા કર્યા સવાલ
AAP નેતા સંજય સિંઘે કહ્યું કે આ એક ચિંતાનો વિષય છે કે આટલા સુરક્ષિત હેલિકોપ્ટરમાં આવી દુર્ઘટના કઈ રીતે થઈ શકે છે. પીએમ મોદી અને રક્ષામંત્રી કોઈ પગલાં ભરે જેથી ખબર પડે કે આ દુર્ઘટના થઈ કઈ રીતે?
સેનાને હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું
તમિલાડુના કુન્નૂર નજીક ક્રેશ થતાં પહેલા સીડીએસ બિપિન રાવત અને અન્ય 13 લોકોને લઈ જતાં એમઆઈ-17 હેલિકોપ્ટરની અંતિમ ક્ષણો ત્યાં સ્થાનિકો ઉતાર્યો હતો. દરમિયાન ડાયરેકટર શ્રીનિવાસનની આગેવાની હેઠળ તમિલનાડુ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની ટીમ કુન્નૂરના કેટારી નજીક અકસ્માત સ્થળે પહોંચી છે.ત્યાં પહેલેથી જ એરફોર્સની ટીમ હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ રિકવર કર્યું છે. આ બ્લેક બોક્સ હવે બતાવશે કે, છેલ્લી ઘડીએ શું થયું હતું.
Indian Air Force (IAF) has ordered a tri-service inquiry into the military chopper crash. The investigation will be led by Air Marshal Manavendra Singh. The inquiry team reached Wellington yesterday itself and started the investigation: Defence Minister Rajnath Singh Lok Sabha pic.twitter.com/l6zE4Kboy6
તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં દેશે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યા હતા. લોકસભામાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે આ ઘટના અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશને ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે. તેમણે જણાવ્યું હતું કે 11:48 એ હેલિકોપ્ટરે ઊડાન ભરી હતી. ત્યાર બાદ તેમાં આગ લાગી હતી. હેલિકોપ્ટરમાં 14 લોકો હાજર હતા જેમાંથી 13 લોકોના દુઃખદ નિધન થયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. એરફોર્સ દ્વારા તપાસ માટે કમિટીની રચના કરાઇ છે અને એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં કમિટી રચના કરવામાં આવી છે.