દેશ માટે આપવામાં આવેલા બલિદાન બાદ શહિદોની અંતિમ વિદાય પણ ખાસ હોય છે
શહિદના અંતિમ સંસ્કારને લઈને શું છે નિયમો?
શું છે ઝંડાને લઈને નિયમો?
જાણો તેના વિશે વધુ માહિતી
તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં પોતાનો જીવ ગુમાવી ચુકેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું (General Bipin Rawat) આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પહેલા CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના પાર્થિવ શરીરને તેમના આવાસ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લોકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. ત્યાર બાદ સાંજે 4 વાગ્યો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ભારતીય સેનાના દરેક જવાન અથવા ઓફિસર હંમેશા દેશની સુરક્ષા માટે તૈનાત હોય છે અને ઘણી વખત આ સુરક્ષામાં તે પોતાના પ્રાણ પણ ન્યૌછાવર કરી દે છે. દેશ માટે આપવામાં આવેલા બલિદાન બાદ તેમની અંતિમ વિદાય પણ ખાસ હોય છે અને રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે એવામાં જાણીએ કે તેમના અંતિમ સંસ્કાર વખતે કયા નિયમોના પાલન કરવામાં આવે છે.
કેવી હોય છે અંતિમ સંસ્કારની પ્રક્રિયા?
જ્યારે કોઈ જવાન શહીદ થાય છે તો તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માનની સાથે કરવામાં આવે છે. સૌથી પહેલા શહીદના પાર્થિવ શરીરને તેમના નિવાસ સ્થાન પર મોકલવામાં આવે છે. અને સાથે સેનાના જવાનો પણ હોય છે. રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર વખતે પાર્થિવ શરીરને ત્રિરંગાથી લપેટવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભારતીય ધ્વજ કોડ 2002 અનુસાર, રાષ્ટ્રીય ધ્વજથી ફક્ત સૈનિકો અથવા રાજકીય સન્માન વખતે મૃતદેહને લપેટી શકાય છે. આ ઉપરાંત ક્યારેય પણ ઝંડાથી મૃતકોને લપેટવામાં નથી આવતા.
તેની સાથે જ પાર્થિવ શરીર પર ઝંડાને લપેટવાનો પણ એક ખાસ નિયમ છે. આ સમયે ઝંડાને શબ પેટીની ઉપર રાખવામાં આવે છે અને ઝંડાના કેસરિયા ભાગને શબ પેટિકાના આગળ વાળા ભાગની તરફ રાખવામાં આવે છે. એટલે કે તેને સીધો જ રાખવામાં આવે છે અને ચાદરની જેમ તેને ઓઢાવવામાં આવે છે.
બાદમાં ઝંડાનું શું કરવામાં આવે છે?
સાથે જ ક્યારેય પણ ઝંડાને કબરમાં દફનાવવામાં અથવા ચિતા પર અગ્નિદાહ નથી આપવામાં આવતી. અંતિમ સંસ્કાર પહેલા આ ઝંડાને શહીદના પરિવારને આપી દેવામાં આવે છે. આ ઝંડાને વાળ માટેનો પણ એક ખાસ નિયમ હોય છે. જેનાથી ઝંડાનું અશોક ચક્ર સૌથી ઉપર આવે છે.
હોય છે ઘણા પ્રકારના રિવાજો
અંતિમ સંસ્કાર વખતે મિલેટ્રી બેન્ડની તરફથી 'શોક સંગીત' વગાડવામાં આવે છે અને ત્યાર બાદ બંદૂકોની સલામી આપવામાં આવે છે. બંદૂકોની સલામીની પણ એક ખાસ રીત હોય છે અને તેમાં બંદૂક ખાસ રીતે ઉઠાવવામાં આવે છે.
ઝંડાને લઈને શું છે નિયમ?
જણાવી દઈએ કે રાજ્ય, સેના, કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની તરફથી કરવામાં આવેલા મૃતક સંસ્કાર સિવાય, ક્યારેય પણ ઝંડાનો ઉપયોગ કોઈ પણ કામમાં લપેટવા માટે નથી કરવામાં આવતો. જેમ કે તેને કોઈ ગાડી, રેલ-ગાડી અથવા બોટ પર ન લગાવી શકાય.