ભારતના પહેલા CDS જનરલ બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના કુન્નુનરમાં હેલિકૉપ્ટર દુર્ઘટનામાં નિધન થઇ ગયું. આ દુર્ઘટનામાં તેમના પત્ની સહિત 13 લોકોના નિધન થયા. તમામ 13 લોકોના પાર્થિવદેહ દિલ્હી લવાયા છે.
કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13ના નિધન થયા હતા
દિલ્હી લવાયા તમામ 13 લોકોના પાર્થિવ દેહ
આવતીકાલે CDS બિપિન રાવતના અંતિમ સંસ્કાર
દેશનાં મહાન રાષ્ટ્રયોદ્ધા CDS જનરલ બિપિન રાવતને યાદ કરી આજે આખો દેશ ગમગીન થયો છે, ગઇકાલે દેશને હચમચાવી દેનારી ઘટના બની છે. ત્યારે હવે તમામ શહીદોના પાર્થિવ દેહ દિલ્હી લવાયા છે.
CDS બિપિન રાવતની દીકરીઓ થઇ ભાવુક
દિલ્હીના પાલમ એરપોર્ટ પર બિપિન રાવતની બન્ને દીકરીઓ પણ હાજર રહી છે. પાર્થિવ દેહના અહીં પહોંચતા જ તેમની આંખોથી આંસૂ વહેવા લાગ્યા. આ સિવાય અહીં અન્ય સેન્ય કર્મીઓના પરિવારજનો પણ હાજર રહ્યા છે.
Delhi | Defence Minister Rajnath Singh meets families of CDS General Bipin Rawat and other Armed Forces personnel who lost their lives in Tamil Nadu chopper crash yesterday, at Palam airbase pic.twitter.com/vPhALuWWHD