વર્ષ 2015માં પણ બિપિન રાવત હેલિકોપ્ટરને દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં માંડ માંડ બચ્યા હતા.ત્યારે બિપિન રાવત લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર હતા.
વર્ષ 2015માં પણ બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું હતું
આ દુર્ઘટનામાં માંડ માંડ બચ્યાં હતાં બિપિન રાવત
તે સમયે એન્જિનની ખામીને કારણે આ ઘટના બની હતી.
વર્ષ 2015માં પણ બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું હતું
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં CDS બિપિન રાવત સહતિ 13 લોકોના મોત છે. તે જ સમયે, અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરમાં 14 લોકો હતા.આ પહેલા વર્ષ 2015માં પણ બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા હતા. ત્યારે બિપિન રાવત લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર હતા.
તે વખતે બિપિન રાવત સહિત ત્રણ અધિકારીઓ હેલિકોપ્ટર સવાર હતા.
ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેન્ડના દીમાપુર જિલ્લામાં આર્મીના ચિતા હેલિકોપ્ટરમાં બિપિન રાવત સહિત ત્રણ અધિકારીઓ સવાર હતા. હેલિકોપ્ટર ટેકઓફની થોડી જ સેકન્ડોમાં ક્રેશ થયું હતું. ત્યારે હેલિકોપ્ટર માત્ર 20 ફૂટની ઉંચાઈ પર હતું. સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરમાં સવાર અધિકારીઓને સામાન્ય ઈજા થઈ છે. ત્યાર પછી કહેવામાં આવ્યું કે હેલિકોપ્ટર ક્રેશની ઘટના એન્જિનની ખામીને કારણે બની હતી.
રક્ષા મંત્રીએ પીએમ મોદીને ક્રેશની ઘટનાની જાણકારી આપી
તમને જણાવી દઈએ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજના હેલિકોપ્ટર દુર્ઘટનાની માહિતી આપી છે. આ પછી કેન્દ્રીય કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટર આજે તામિલનાડુના કુન્નૂર નજીક અકસ્માતમાં પરિણમ્યું હતું, ભારતીય વાયુસેનાએ અકસ્માત પછી તરત જ એક નિવેદનમાં જણાવ્યું હતું. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.