ભારતીય સેનામાં જલ્દી મોટા ફેરફાર આવી શકે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટોક જનરલ બિપિન રાવતની સામે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી એફેયર્સના સેનાના જવાનો અને સૈન્ય ઓફિસરોના રિટાયરમેન્ટની ઉંમર વધારવાનો પ્રસ્તાવ રખાયો છે. તેની સાથે પેન્શનને લઈને પણ પ્રસ્તાવ આવ્યો છે. સેનામાં કામ કરનારા કુશળ લોકોને વધારે સમય સુધી સેનામાં રાખવા માટે આ પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ સિવાય પેન્શન વિભાગે કહ્યું છે કે સમય પહેલાં સેવાનિવૃત્તિ લેનારા અધિકારીઓને પેન્શન યોગ્યતા માટે અલગ કરાશે એટલે કે તેમના પેન્શનમાં ઘટાડો કરી શકાય છે.
ભારતીય સેનામાં આવી શકે છે મોટા ફેરફાર
પેન્શન અને રિટાયરમેન્ટની ઉંમરને લઈને આવશે ફેરફાર
જાણો કઈ બાબતોમાં નહીં થાય ફેરફાર
કેટલી હોઈ શકે છે રિટાયરમેન્ટની ઉંમર
ડિપાર્ટમેન્ટની તરફથી મૂકાયેલા પ્રસ્તાવના આધારે કર્નલ અને સમકક્ષોની સેવાનિવૃત્તિની ઉંમરને 54 વર્ષથી વધારીને 57 સુધી કરવાનો પ્રસ્તાવ છે. આ સિવાય બ્રિગેડિયર અને તેમના સકક્ષ કામ કરનારાની ઉંમરને 56થી વધારીને 58 કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.
લેફ્ટેનન્ટ જનરલની નહીં વધે રિટાયરમેન્ટની ઉંમર
આ સિવાય મેજર જનરલ્સની હાલની ઉંમર 58છે તેઓ 59 વર્ષે રિટાયર થશે. લેફ્ટેનન્ટ જનરલની સેવા નિવૃત્તિની ઉંમર 60 વર્ષ રહેશે. એટલે કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં.
આ જવાનોની પણ ઉંમરને વધારવાનો પ્રસ્તાવ
લોજિસ્ટિક, ટેકનિકલ અને મેડિકલ બ્રાંચમાં જૂનિયર કમીશંડ ઓફિસર અને જવાનોની રિટાયરમેન્ટની ઉંમર 57 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે. સાથે ભારતીય સેનાની EME, ASC અને AOCની બ્રાંચમાં પણ સામેલ થશે.
પેન્શનને લઈને શું છે પ્રસ્તાવ
ડિપાર્ટમેન્ટે પેન્શનને લઈને કહ્યું કે પહેલાં સેવાનિવૃત્તિ લેનારા જવાનોને માટે પ્રસ્તાવિત સંશોધનના આધારે 20-25 વર્ષની સેવા પછી જે સેવાનિવૃત્તિ થશે તેમને 50 ટકા પેન્શન જ અપાશે. આ સિવાય જે પણ જવાન 25-30 વર્ષની સેવા બાદ નિવૃત્ત થશે તેને 60 ટકા પેન્શન મળશે. 35 વર્ષ બાદ સેવાનિવૃત્ત થનારા કર્મચારીઓને સંપૂર્ણ પેન્શન મળશે.
કઈ બાબતમાં નહીં થાય ફેરફાર
મળતી માહિતી અનુસાર યુદ્ધની સ્થિતિ કે ચિકિત્સા કારણોથી નિવૃત્ત થનારા કર્મીઓના પેન્શનમાં કોઈ ફેરફાર કરાશે નહીં. આ સિવાય એ અધિકારીઓને વિભાગની તરફથી સારી સુવિધાઓ અપાશે.