કૂન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઘાયલ થયેલા CDS બિપિન રાવની સ્થિતિ નાજુક છે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ CDS બિપિન રાવતના ઘેર પહોંચ્યાં હતા અને તેમના પરિવારના સભ્યોને મળ્યાં હતા. સીડીએસ બિપિન રાવતના ઘરની સુરક્ષા પણ વધારાઈ હતી.
Delhi | Defence Minister Rajnath Singh reaches the residence of CDS Bipin Rawat pic.twitter.com/05DismLAq9
CDSના પરિવારને દુર્ઘટનાની માહિતી આપી
રાજનાથે CDSના પરિવારને હેલિકોપ્ટર દુર્ઘટનાની માહિતી આપી હતી. તેમના નિવાસસ્થા બહાર સુરક્ષા પણ વધારાઈ હતી. રાજનાથ સિંહ કૂન્નુર હેલિકોપ્ટર ક્રેશ સ્થળે પણ જવાના છે. સીડીએસ બિપિન રાવતને લઈને જઈ રહેલા હેલિકોપ્ટરને નડેલા અકસ્માત બાદ કેન્દ્રીય કેબિનેટની ઈમરજન્સી બેઠક મળી હતી અને તેમાં આ ઘટનાની ચર્ચા કરવામાં આવી. કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીની ઉપરાંત, મુખ્ય રક્ષા સલાહકાર, અજિત ડોભાલ સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે પ્રધાનમંત્રી મોદીને ઘટના સંબંધિત તમામ બાબતોથી વાકેફ કર્યાં હતા.
Government likely to issue a statement tomorrow in Parliament on the crash of the military chopper with Chief of Defence Staff on board: Sources