કુન્નૂર પાસે ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. એક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એક હેલિકોપ્ટર એક ઝાડ થી બીજા ઝાડ સાથે અથડાતાં આગનો ગોળો બની ગયો હતો.
કુન્નૂર પાસે ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું હતું.
હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર મળતાં જ સેના અને પોલીસ ઘટના સ્થળે પહોંચી
કુન્નૂર પાસે ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું હતું.
તમિલનાડુના કુન્નૂર પાસે ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે, ભારે ધુમ્મસના કારણે લો વિઝીબિલીટીના કારણ ઘટના લીધી હતી. સુત્રોના જણાવ્યા અુસાર આ દુર્ઘટનામાં 13 લોકોના મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે
હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર મળતાં જ સેના અને પોલીસ ઘટના સ્થળે પહોંચી
સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર મળતાં જ દુર્ઘટના વાળી જગ્યા પર સેના અને સ્થાનીય પોલીસ અધિકારી પોહોચી ગઈ હતી. આ વચ્ચે એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર તેણે એક જોરદાર અવાજ સાંભળ્યો હતો. જે બાદ તે ઘરની બહાર આવ્યો હતો. ત્યારે તેણે દેખ્યું કે, એક હેલિકોપ્ટર એક ઝાડ પરથી બીજા ઝાડ સાથે અથડાતા આગના ગોળો બની ગયો હતો.
સગળગતાં હેલિકોપ્ટરમાંથી 2-3 લોકોએ કુદકો માર્યો હતો
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ જ્યારે હેલિતકોપ્ટર ઝાડ સાથે અથડાતા આગ લાગી ચુકી હતી. તે દરમિયાન 2-3 લોકોને હેલિકોપ્ટર કુદતા જોયા હતાં. તમામના શરીરના આગ લાગી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીએ આસ-પાસના લોકોને એકત્રિત કરી ને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં જેટલા પણ મૃતદેહ મળ્યાં હતાં. જે 80 ટકાથી વધુ સળગી ગયાં હતાં.
બિપિન રાવત વેલિંગટન જઈ રહ્યાં હતાં
જો કે, સીડીએસ જનરલ બિપીન રાવતની સ્થિતી અંગે હજુ પણ કોઈ માહીતી નથી મળી. ભારતીય વાયુસેના તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, દુર્ઘટના અંગે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપી દેવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે, એમ સીરીઝમાં આ હેલિકોપ્ટર સીડીએસ જનરલ બિપિન રાવત વેલિંગટનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજ જઈ રહ્યાં હતાં.