ભારતના પ્રથમ CDS બિપીન રાવત સહિત 12 જવાનોના આજે અંતિમ સંસ્કાર છે ત્યારે દિલ્હીના રસ્તાઓ પર મોટી સંખ્યામાં નાગરિકો અલવિદા કહેવા ઉમટ્યા હતા.
ઓ દેશ મેરે તેરી શાન પે સદકે..
CDS જનરલ રાવત સહિત 12 જવાનોની અંતિમ વિદાય
દિલ્હીના રસ્તાઓ પર મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો
તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 14 લોકો પૈકી 13 જવાનો શહીદ થયાં હતા. જેમના પાર્થિવ દેહના આજે અંતિમ સંસ્કાર યોજાવાના છે. ત્યારે દિલ્હીના રસ્તાઓ પર મોટી સંખ્યામાં નાગરિકો અલવિદા કહેવા માટે ઉમટી પડ્યા હતા.
ગમગીન બનેલા નાગરિકો અંતિમ વાહિની સાથે દોડ્યા
CDS બિપિન રાવતની અંતિમયાત્રામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. લોકો ત્રિરંગા સાથે દોડતા નજરે ચડયા હતા. આ ઉપરાંત કેટલાક લોકોએ અંતિમયાત્રામાં નારા લગાવ્યા, 'જબ તક સૂરજ ચાંદ રહેગા બિપિનજીકા નામ રહેગા' આખા દેશના લોકોએ દેશના વિરોને અંતિમ અંજલિ આપી હતી. આજે આખો આજે ભાવુક થઈ ગયો હતો.
ગુરૂવારે તામિલનાડુના કુન્નૂરમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 13 મૃતકોના પાર્થિવ દેહને વિમાન દ્વારા દિલ્હીના પાલમ એરપોર્ટ લવાયા. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ અને NSA અજિત ડોભાલે પહોંચીને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારે આજે તમામ શહીદોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ લોકો પણ મૃતકોમાં સામેલ છે
દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય જવાનોમાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબલ્યુઓ દાસ, જેડબલ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજાનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.
પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયા
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એરપોર્ટના એક હેંગરમાં 13 શબપેટીઓ રાખવામાં આવી હતી અને આ દરમિયાન પરિવારના સભ્યો પણ હાજર હતા. ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટ દ્વારા સુલુર એરબેઝથી મૃતદેહોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. વિમાન લગભગ 7.35 વાગ્યે પાલમ ટેકનિકલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ પહેલા તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો.
પીએમ મોદી અને રક્ષા મંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
ગુરુવારે પાલમ એરપોર્ટ પર સશસ્ત્ર દળોના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સામેલ હતા. ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર, એર ચીફ માર્શલ એવીઆર ચૌધરી અને સંરક્ષણ સચિવ અજય કુમાર સહિત દેશના ટોચના સૈન્ય અધિકારીઓએ પણ શોક સમારંભમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.