પાકિસ્તાન સેનાએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવતના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
CDS બિપિન રાવતના મોત પર પાકિસ્તાન શોકમગ્ન
પાકિસ્તાની સેનાએ ટ્વિટ કરીને મોતનો શોક મનાવ્યો
પાક.લોકો પણ શોક વ્યક્ત કરી રહ્યા છે
CDS બિપિન રાવતની શહાદત પર દેશ અને દુનિયા આઘાતમાં છે ત્યારે પાકિસ્તાન પણ આ ઘટનાથી શોકમન્ન બન્યું છે. પાકિસ્તાની સેનાએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું હતું કે, "જનરલ નદીમ રઝા, જનરલ કમર જાવેદ બાજવા અને ઓએએસભારતમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય લોકોના કમનસીબ મૃત્યુ અંગે સંવેદના વ્યક્ત કરે છે.
General Nadeem Raza, CJCSC & General Qamar Javed Bajwa, COAS express condolences on tragic death of #CDS General #BipinRawat, his wife and loss of precious lives in a helicopter crash in India
સીડીએસ બિપિન રાવતના મોતના સમાચાર પર તમામ પાકિસ્તાનીઓ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. યુઝર એમ નોમાને લખ્યું હતું કે, "સીડીએસ બિપિન રાવતના મૃત્યુના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો હતો. મારી સંવેદનાઓ આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે છે.
General Nadeem Raza, CJCSC & General Qamar Javed Bajwa, COAS express condolences on tragic death of #CDS General #BipinRawat, his wife and loss of precious lives in a helicopter crash in India
ઘણા લોકો પાકિસ્તાની સેનાના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝર ઇબ્રાહિમ હનીફે લખ્યું હતું કે, "માનવતા પહેલા આવે છે અને પાકિસ્તાની આર્મીએ પ્રોફેશનલીઝ દર્શાવ્યો છે. અમે નફરતમાં માનતા નથી.બીજી તરફ મન્સૂર નામના યુઝરે લખ્યું હતું કે, "આ માનવતાનો સંદેશ છે. જો આપણો દુશ્મન દુર્ઘટનામાં મરી જાય તો પણ તે જાનહાનિ છે. માનવતાના આધારે આપણે તેના વિશે ખુશ ન થવું જોઈએ. આપણે આપણા પડોશી દેશની પીડા વહેંચવી જોઈએ.
તમિલનાડુમાં બુધવારે કુન્નુરમાં થયેલા અકસ્માતમાં સીડીએસ રાવતની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા. આ સમાચારથી દેશભરમાં આઘાતનું મોજું છવાઈ ગયું છે. પાકિસ્તાનના લોકો સીડીએસ બિપિન રાવતઅને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મોત અંગે પણ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.