તામિલનાડુમાં કુન્નૂર નજીક થયેલી હેલિકૉપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતને તેઓની દીકરીઓ દ્વારા મુખાગ્ની આપવામાં આવ્યો હતો.
દેશના સપૂતોને અંતિમ સલામ
બંન્ને દીકરીઓએ કરી અંતિમ વિધિની ક્રિયા
તામિલનાડુના કુન્નૂરમાં થયેલી દુર્ઘટનામાં 13ના નિધન
ગુરૂવારે તામિલનાડુના કુન્નૂરમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 13 મૃતકોના પાર્થિવ દેહને વિમાન દ્વારા દિલ્હીના પાલમ એરપોર્ટ લવાયા. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ અને NSA અજિત ડોભાલે પહોંચીને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારે આજે શહીદોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
LIVE UPDATES:
CDS જનરલ બિપિન રાવતને બંન્ને દીકરીઓએ કરી અંતિમ વિધિની ક્રિયા
#WATCH | Delhi: #CDSGeneralBipinRawat laid to final rest with full military honours, 17-gun salute. His last rites were performed along with his wife Madhulika Rawat, who too lost her life in #TamilNaduChopperCrash.
CDS જનરલ બિપિન રાવતને બંન્ને દીકરીઓએ મુખાગ્નિ આપ્યો હતો અને વિધિ અનુસાર અંતિમ વિધિની ક્રિયા કરી હતી.
Delhi: #CDSGeneralBipinRawat laid to final rest with full military honours. His last rites were performed along with his wife Madhulika Rawat, who too lost her life in #TamilNaduChopperCrash.
પાર્થિવ દેહને ચિતા સુધી લઈ જવા દરમિયાન ત્રણેય સેનાના અધિકારીઓએ કાંધ આપી હતી. ત્યાર બાદ પાર્થિવ દેહોને ચિતા પર રાખવામાં આવ્યા હતા.
બીપિન રાવત અને મધુલિકા રાવતને દીકરીઓની અંતિમ શ્રદ્ધાંજલી બાદ મૃતદેહો અંત્યેષ્ટિ માટે લઈ જવામાં આવ્યા હતા. હવે થોડી જ વારમાં થશે અંતિમ સંસ્કાર, વીરોને અંતિમ વિદાય આપવા માટે સ્માશન ગૃહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
CDS General BipinRawat અને મધુલિકા રાવતની પુત્રીઓ - કૃતિકા અને તારિણીએ તેમના માતાપિતાને શ્રદ્ધાંજલિ આપી. પરિવારના અન્ય સભ્યો પણ તેમની સાથે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાયા
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ બરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના નશ્વર અવશેષોને શ્રદ્ધાંજલિ આપી
दिल्ली: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने बरार स्क्वायर श्मशान घाट पहुंचकर CDS जनरल बिपिन रावत और उनकी पत्नी मधुलिका रावत के पार्थिव शरीर को श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/zWqUD4mbXk
રક્ષા મંત્રી રાજનાથ સિંહે બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી.
दिल्ली: रक्षा मंत्री राजनाथ सिंह ने बरार स्क्वायर श्मशान घाट पहुंचकर CDS जनरल बिपिन रावत और उनकी पत्नी मधुलिका रावत के पार्थिव शरीर को श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/Q5dQdElVQy
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિલ્હી કેન્ટથી સ્મશાનઘાટ જવા માટે નીકળ્યા હતા.
વિદેશી રાજદૂતોની શ્રદ્ધાંજલી
બ્રિટિશ હાઈકમિશ્નર એલેક્સ અને ફ્રાંસના રાજદૂત ઇમેન્યુઅલ પણ શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા.
दिल्ली: फ्रांस के राजदूत इमैनुएल लेनिन ने बरार स्क्वायर श्मशान घाट पहुंचकर CDS जनरल बिपिन रावत और उनकी पत्नी मधुलिका रावत के पार्थिव शरीर को श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/bRlXggmIb0
CDS બિપિન રાવતની અંતિમયાત્રામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. લોકો ત્રિરંગા સાથે દોડતા નજરે ચડયા હતા. આ ઉપરાંત કેટલાક લોકોએ અંતિમયાત્રામાં નારા લગાવ્યા, 'જબ તક સૂરજ ચાંદ રહેગા બિપિનજીકા નામ રહેગા' આખા દેશના લોકોએ દેશના વિરોને અંતિમ અંજલિ આપી હતી. આજે આખો આજે ભાવુક થઈ ગયો હતો.
#WATCH | Delhi: Citizens raise slogans of "Jab tak suraj chaand rahega, Bipin ji ka naam rahega", as the cortège of #CDSGeneralBipinRawat proceeds towards Brar Square crematorium in Delhi Cantonment. pic.twitter.com/s7sjV4vg73
અંતિમ સંસ્કાર સમયે 800 જવાનોની હાજરીમાં વીર સપૂત બિપિન રાવતને 17 તોપોની સલામી સાથે વિદાય આપવામાં આવશે
મંત્રીઓએ આપી શ્રદ્ધાંજલી
કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણ, મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની, સર્વાનંદ સોનવાલ, એસ. જયશંકર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજ નેતાઓએ CDS Bipin Rawat ને આપી શ્રદ્ધાંજલી
Union Ministers Nirmala Sitharaman, Mansukh Mandaviya, Smriti Irani, and Sarbananda Sonowal paid tribute to CDS General Bipin Rawat who lost his life in the IAF chopper crash on Wednesday pic.twitter.com/cdqVXHzJEx
સેનાની ત્રણેય પાંખના વડાઓ - આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, આઈએએફ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે આપી CDS General Bipin Rawat ને શ્રદ્ધાંજલિ
Delhi: The three service chiefs - Army Chief Gen MM Naravane, IAF chief Air Chief Marshal VR Chaudhari & Navy Chief Admiral R Hari Kumar pay tribute to #CDSGeneralBipinRawat. pic.twitter.com/syQv17b79F
CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્નીને કોંગ્રેસ લીડર રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપી.
Congress leader Rahul Gandhi pays tributes to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat who lost their lives in the IAF chopper crash on Wednesday pic.twitter.com/ZjloO9gPgm
ગૃહમંત્રી અમિત શાહે CDS બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.
Home Minister Amit Shah pays tribute to CDS Gen Bipin Rawat who passed away in an IAF chopper crash near Coonoor in Tamil Nadu on Wednesday. pic.twitter.com/Jf14uoUyMe
Delhi: The three service chiefs - Army Chief Gen MM Naravane, Navy Chief Admiral R Hari Kumar & IAF chief Air Chief Marshal VR Chaudhari pay tribute to Brig LS Lidder at Brar Square, Delhi Cantt.#TamilNaduChopperCrashpic.twitter.com/WxwJ4Oj0Yf
CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.આ પહેલા શુક્રવારે સવારે 11 થી 12:30 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને સામાન્ય લોકોના અંતિમ દર્શન માટે તેમના 3 કામરાજ માર્ગ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવશે. બપોરે 12:30 થી 1:30 વચ્ચેનો સમય લશ્કરી જવાનો માટે બિપિન રાવત અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપવાનો રહેશે.જનરલ રાવતની અંતિમ યાત્રા બપોરે લગભગ 2 વાગ્યે તેમના નિવાસસ્થાનથી બેરાર સ્ક્વેર સ્મશાનગૃહ સુધી શરૂ થશે. અંતિમ સંસ્કાર સાંજે 4 કલાકે રાખવામાં આવેલ છે.
બ્રિગેડિયર લિડરના અંતિમ સંસ્કાર સવારે 9:30 વાગ્યે કરવામાં આવશે
બ્રિગેડિયર લિડરના અંતિમ સંસ્કાર સવારે 9:30 વાગ્યે કરવામાં આવશે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ મૃતદેહને ધૌલકુઆનની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર લિડર ઉપરાંત, Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટનામાં 10 સશસ્ત્ર દળોના જવાનો માર્યા ગયા હતા.રક્ષા મંત્રી રાજનાથ સિંહ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા બ્રિગેડિયર લખવિંદર સિંહ લિડરના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. દિલ્હી કેન્ટના બેરાર સ્ક્વેર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ લોકો પણ મૃતકોમાં સામેલ છે
દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય જવાનોમાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબલ્યુઓ દાસ, જેડબલ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજાનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.
પીએમ મોદી અને રક્ષા મંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
ગુરુવારે પાલમ એરપોર્ટ પર સશસ્ત્ર દળોના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સામેલ હતા. ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર, એર ચીફ માર્શલ એવીઆર ચૌધરી અને સંરક્ષણ સચિવ અજય કુમાર સહિત દેશના ટોચના સૈન્ય અધિકારીઓએ પણ શોક સમારંભમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયા
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એરપોર્ટના એક હેંગરમાં 13 શબપેટીઓ રાખવામાં આવી હતી અને આ દરમિયાન પરિવારના સભ્યો પણ હાજર હતા. ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટ દ્વારા સુલુર એરબેઝથી મૃતદેહોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. વિમાન લગભગ 7.35 વાગ્યે પાલમ ટેકનિકલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ પહેલા તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો.