ભાવનગરઃ દેશભરમાં બાળકોના અપહરણ બળાત્કાર જેવી ઘટનાઓ બને છે. ત્યારે ભાવનગર મનપા દ્વારા નગરપાલિકા સંચાલિત શાળાઓમાં CCTV નખાવવા માટે કાગળ પર વાર્તાઓ ચાલી. પરંતુ આજદીન સુઘી તેનો અમલ કરવામાં આવ્યો નથી. આખરે શાળાના સંચાલક અને શિક્ષકોએ કંટાળીને સ્વખર્ચે CCTV નાંખવાનો નિર્ણય લીધો. હવે મનપાનું બજેટ અને સત્તાધીશો શું કરશે તે જોવાનું રહ્યું.
શું છે સમગ્ર મામલો?
ભાવનગરમાં મહાનગરપાલિકા સંચાલીત 55 જેટલી નગરપ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ તેમની સલામતી માટે કોઈ સુવિધા નથી. આ શાળાઓમાં મોટાભાગે મધ્યમવર્ગના છોકરાઓ અભ્યાસ કરવા માટે આવે છે. આ શાળામાં બાળકોની સલામતી અને અન્યો કોઈ ગેરપ્રવૃતિ થાય તો તેનો કોઈ પૂરાવો મળે તેમ નથી. કારણ કે શાળામાં CCTV કેમેરા લગાવાવમાં આવ્યા નથી. CCTV મુકવા માટે શિક્ષણસમિતિ અનેક વાર રજૂઆત કરી. પરંતુ મનપાના શાસકો છેલ્લા 5 વર્ષથી માત્ર બજેટમાં 25 લાખની ફાળવી કરે છે. પરંતુ તેનો અમલ કરતા ન હતા. તાજેતરમાં એક શાળામાંથી રમતના સાધનોની ચોરી થઈ હતી. પોલીસે તપાસ કરી પરંતુ CCTV ન હોવાના કારણે આ ભેદ અકબંધ રહ્યો. બાદમાં સ્કૂલના શિક્ષકો અને સંચાલકોએ જાતે પૈસા કાઢીને આ કાર્ય પૂર્ણ કર્યું.
ભાવનગર મનપા હસ્તકની શાળાઓમાં નથી CCTV કે નથી ચોકીદાર. તેના કારણે શાળાના સમય સિવાય અસામાજિક તત્વો અડ્ડો લગાવી બેઠા છે. ત્યારે શહેરમાં 3 શાળાના આચાર્યો દ્વારા શાળામાં અલગ અલગ 3 જગ્યાએ CCTV નંખાવ્યા. પરંતુ તંત્ર ટસનું મસના થયું. આમ તંત્રની બેદરકારીનો આ ઉત્તમ નમૂનો છે.
ગુજરાતમાં સરકારી શાળાઓમાં કોઈ સુવિધા નથી હોતી માત્ર મોટા મોટા વાયદા અને જાહેરાત કરી રહ્યા છે. સરકાર દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે. પરંતુ તમામ વાયદા પોકળ સાબિત થઈ રહ્યા છે. જો તંત્ર આગામી સમયમાં સરકારી શાળામાં CCTV નહીં નાંખે તો આવનારા સમયમાં અનેક ઘટનાઓ સામે આવે તો નવાઈ નહીં.