CBSE એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ હવે વિદ્યાર્થીઓની માટે કારકિર્દીની પસંદગી ને લઇ મહત્વનો પ્રયોગ કરવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે ધોરણ નવથી ઉપર ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન મોબાઇલ એપ્લિકેશન મારફતે એક મનોવૈજ્ઞાનિક ટેસ્ટ લઇ વિદ્યાર્થીઓની રસ અને રુચિને માપવાનું કામ કરશે.
CBSE એ વિદ્યાર્થીઓ ને હિતમાં રાખી લીધો નિર્ણય
શું છે KYAના રજીસ્ટ્રેશનની પ્રોસેસ
શું છે તમન્ના એપ્લિકેશન?
CBSE (Central Board of Secondary Education) અને NCERT (National Council for Educational Research and Training) દ્વારા વિદ્યાર્થીઓના રસ રૂચી જાણવા માટે એપ્ટીટ્યુડ નામનો ટેસ્ટ લેવા માટે Tamanna (Try And Measure Aptitude And Natural Abilities)નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે.
શું છે તમન્ના એપ્લિકેશન?
તમન્ના એપ્લિકેશનમાં એપટીટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીને કયા વિષયમાં રુચિ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓની ખુદની રસરુચી જાણવા KYA (Know your aptitude) નામની પરીક્ષા લેવાશે જેમાં વિદ્યાર્થીને પણ પોતાના સબળ પાસાઓની જાણ થશે.
વિદ્યાર્થીની બોડી લેંગ્વેજને રખાશે ધ્યાનમાં
આ ટેસ્ટમાં લેંગ્વેજ એટીટ્યુટ, બોડી લેંગ્વેજ એટીટ્યુડ , ન્યુમેરિકલ એપટીટ્યૂડ વગેરે જેવા વિષય ને કેન્દ્ર માં રાખી વિદ્યાર્થીઓ ને સવાલ કરવામાં આવશે, જેના આધારે તજજ્ઞો અને જાણકારો ની મદદથી વિશ્લેષણ કરી , વિદ્યાર્થીએ કયા અને શા માટે જવુ, તેને લક્ષયમાં રાખી માર્ગદર્શન આપવામાં આવશે.
શું છે KYAના રજીસ્ટ્રેશનની પ્રોસેસ
CBSEના સરક્યુલર પ્રમાણે 29મી જાન્યુઆરી 2020થી KYAના રજીસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થઈ જશે. આ માટેની ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in છે. જેમાં તમને તમન્ના એપની લીંક મળશે.
શું છે તમન્નાની વેબસાઈટમાં
ટેસ્ટની બુકલેટ, ટેક્નીક, વાલીઓ માટેની ગાઈડલાઈન, શિક્ષકો માટેની ગાઈડલાઈન સહિતની ઘણી રોચક માહીતી છે. પ્રાઈમરી લેવલમાં 17500 વિદ્યાર્થીઓના ટેસ્ટ લેવાઈ ચુક્યા છે.http://59.179.16.89/cbse/web/tamanna/cbset/tamanna.htmlઆ વેબસાઈટ ઉપર તમને તમન્ના અંગેની માહિતી મળશે.
CBSE એ વિદ્યાર્થીઓ ને હિતમાં રાખી લીધો નિર્ણય
અત્યાર સુધી વાલીઓ આ પ્રકારે કેરિયરને લગતા કાઉન્સીલ ખાનગી એજન્સી ને માટે મોટી મોટી ફી ચૂકવતા હોય છે, પરંતુ હવે CBSE એ વિદ્યાર્થીઓ ને હિતમાં રાખી આ નિર્ણય લીધો છે. જે દિવાળી બાદના સત્રમાં શરુ થઇ જશે..