લૉકડાઉનના કારણે cbse બોર્ડની 10મા ધોરણની પરીક્ષાઓને લઈને અનેક અટકળો આવી રહી હતી. મંગળવારે માનવ સંસાધન વિકાસ મંત્રીએ અટકળોને વિરામ આપ્યો અને સ્પષ્ટ કર્યું છે કે નોર્થ ઈસ્ટ દિલ્હી સિવાય ક્યાંય આ પરીક્ષા થશે નહીં. એમએચઆરડી મંત્રીએ ટ્વિટમાં કહ્યું છે કે પરીક્ષાઓ પહેલાં વિદ્યાર્થીઓને 10 દિવસનો સમય પણ આપવામાં આવશે.
cbse બોર્ડની 10મા ધોરણની પરીક્ષાને લઈને જાહેરાત
નોર્થ ઈસ્ટ દિલ્હી સિવાય ક્યાંય આ પરીક્ષા થશે નહીં
એમએચઆરડી મંત્રીએ ટ્વિટમાં કરી છે આ તમામ સ્પષ્ટતા
તાજેતરમાં cbseના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ કહ્યું હતું કે 10 માની બોર્ડની પરીક્ષામાં માત્ર 1-2 પરીક્ષાઓ બાકી છે. આ માટે, અમે પહેલેથી લીધેલી પરીક્ષાનું આંતરિક મૂલ્યાંકન કરીશું, જેમાં અમે બાકીની પરીક્ષાની સરેરાશ અને અન્ય ફોર્મ્યૂલામાંથી પરિણામ આપીશું. તેની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.
સીબીએસઈના સેક્રેટરીએ કહ્યું હતું કે હાલમાં ધોરણ 10 માટે કોઈ નવી પરીક્ષા જરૂરી નથી. તેમણે કહ્યું કે મૂલ્યાંકનનું 70% કામ હજી બાકી છે, જ્યારે કેટલાક રાજ્યોએ મૂલ્યાંકન શરૂ જ કર્યું હતું.
📢Attention class X students!
No examination to be held for class X students nationwide, except for students from North-East Delhi.
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 5, 2020
પરીક્ષાને લઈને એચઆરડી મંત્રીએ કરી આ સ્પષ્ટતા
એચઆરડી મંત્રીએ કહ્યું કે હવે જે પરીક્ષાઓ બાકી છે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ આપેલી પરીક્ષા ફરી નહીં આપવાની રહે. તેમણે કહ્યું કે અને ટૂંક સમયમાં અથવા આજે અથવા આવતીકાલે અમે સીબીએસઈની બાકી રહેલી પરીક્ષાઓનું સમયપત્રક નક્કી કરીશું. આ માટે તમામ પરીક્ષાઓની તારીખ નક્કી કરવામાં આવશે.