CBSEના જે વિદ્યાર્થીઓની ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાઓ બાકી રહી હતી તેને લઈને આજે સાંજે 5 વાગે તારીખોની જાહેરાત કરવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડો.રમેશ પોખરીયલ નિશાંકે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી હતી.
CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની તારીખો થશે જાહેર
ધોરણ 10 અને ધોરણ 12મા આ વિષયોની યોજાશે પરીક્ષા
આજે સાંજે 5 વાગે જાહેર થશે પરીક્ષાની તારીખો
થોડા દિવસો પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રી ડો.રમેશ પોખરીયલ નિશાંકે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે સીબીએસઈ બોર્ડની વર્ગ -10 ની 12 મી બાકીની પરીક્ષાઓ જુલાઇમાં લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પરીક્ષા યોજવાની તારીખ 1.07.2020 થી 15.07.2020 ની વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ સાથે જ હવે જાણકારી મળી છે કે આજે સાંજના પાંચ વાગ્યા સુધી બાકીની પરીક્ષાઓનું સંપૂર્ણ તારીખપત્રક બહાર પાડવામાં આવશે.
Datesheet for CBSE Board Examinations for Class 10th and 12th to be released today at 5.00 pm: Union Minister for Human Resource Development Ramesh Pokhriyal (file pic) pic.twitter.com/iB7ejLjYY9
CBSEએ સ્પષ્ટ કર્યું હતું કે ધોરણ દસમાની બોર્ડની બાકીની પરીક્ષાઓ ફક્ત ઉત્તર પૂર્વ દિલ્હીમાં જ લેવામાં આવશે. તે જ સમયે, વિદ્યાર્થીઓનાં મહત્વપૂર્ણ વિષયોની પરીક્ષા અહીં લેવામાં આવશે. ધોરણ 12 મા વર્ગના 29 મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે.
ઉત્તર પૂર્વ દિલ્હીમાં ધોરણ 10 માટે આ વિષયોની લેવાશે પરીક્ષા
Hindi course A
Hindi Course B
English Comm
English Lang & Lit
Science
Social Science
ભારતમાં ધોરણ 12ના આ મુખ્ય વિષયોની પરીક્ષા યોજાશે
Business studies
Geography
Hindi (Elective)
Hindi (Core)
Home science
Sociology
Computer science (Old)
Computer Science (New )
Information Practice (Old)
Information Practice (New)
Information Technology
Bio-technology
ધોરણ 12માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં આ વિષયોની થશે પરીક્ષા
English Elective N
English Elective C
English core
Mathematics
Economics
Biology
Political Science
History
Physics
Accountancy
Chemistry
પેપર ચેકિંગનું કામ પણ થયું છે શરૂ
જે પરીક્ષાઓ પહેલાં થઈ ચૂકી છે તેના મૂલ્યાંકનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર હજુ 29 વિષયોની પરીક્ષા બાકી છે. જે 173 વિષયોની પરીક્ષા થઈ ચૂકી છે તેના દોઢ કરોડથી પણ વધારે ઉત્તરવહીઓ છે અને તેને તેને તપાસવાની પરમિશન ગૃહમંત્રાલય તરફથી મળી ચૂકી છે.
CBSEએ 3000 શાળાઓને તપાસ કામગીરી માટે ચાલુ કરી છે. અહીંથી ઉત્તરવહીઓ શિક્ષકોને પહોંચાડવામાં આવશે અને પછી તેની કામગીરી શરૂ કરાશે. આ કામ આવતીકાલથી શરૂ થશે અને તેને 50 દિવસમાં પૂરું કરવામાં આવશે.