CBSE બોર્ડનું ધો. 12 નુ પરિણામ ગુરુવારે જાહેર થયુ હતુ. જેમાં DPS ગાઝિયાબાદની વિદ્યાર્થિની હંસિકા અને મુઝફ્ફરનગરની વિદ્યાર્થિની કરિશ્માએ મેદાન માર્યુ હતુ. કરિશ્મા અરોરામુઝફ્ફરનગરના સનાતનધર્મ ઈન્ટરકોલેજની વિદ્યાર્થિની છે, જ્યારે બીજા સ્થાન પર 499 માર્ક્સની સાથે ગૌરાંગી ચાવલા છે. 12મી બોર્ડના ત્રીજા સ્થાન પર 18 વિદ્યાર્થીઓ છે જેમાંથી 11 વિદ્યાર્થિનીઓ છે. આ વર્ષે 83.01% વિદ્યાર્થીઓને સફળતા મેળવી છે.
આ પરિણામમાં જાણીતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પુત્ર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પુત્રએ પણ પરીક્ષા આપી હતી. સ્મૃતિના પુત્રએ બોર્ડની આ પરીક્ષા 91% સાથે પાસ કરી લીધી છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલના પુત્રએ બોર્ડની આ પરીક્ષા 96.4 % પાસ કરી લીધી છે. સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે.
Ok saying it out loud— proud of my son Zohr..not only did he come back with a bronze medal from the World Kempo Championship also scored well in 12 th boards. Best of 4– 91% .. special yahoo for 94% in economics.. Maaf karna ,today I’m just a gloating Mom🙏
— Chowkidar Smriti Z Irani (@smritiirani) May 2, 2019
સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, '' ઈસ બાત કા જોર શોર સે એલાન કર રહી હુ.. અપને બેટે જોહર પર ગર્વ હૈ…ના કેવલ વિશ્વ ચેમ્પિયનશિપ મે કાંસ્ય લાને કે લીયે બલ્કી બલ્કી 12વીમે અચ્છે અંક હાસિલ કરને કે લીયે…માફ કરના આજ મે સિર્ફ માં હુ.''
With God’s grace and well-wishers’ blessings son has secured 96.4 percentile in CBSE Class XII. In high gratitude 🙏🏼
તો બીજી તરફ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ટ્વીટ કરતા કહ્યુ, ''ભગવાન અને શુભચિંતકોના આશીર્વાદથી મારા દિકરાએ CBSCમાં 95.4% મેળવ્યા છે.''
આ સાથે કુલ 12,18,393 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી કુલ 10,05,427 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધો. 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓને ટ્વિટરના માધ્યમથી શુભકામનાઓ પાઠવી હતી.