ગરમીને કારણે વિદ્યાર્થીઓને તબિયત ન બગડે તે માટે CBSEએ જાહેર કરી ગાઇડલાઇન, શાળાઓને કર્યા આદેશ
રાજ્યભરમાં પડતી કાળઝાળ ગરમીથી CBSE પણ ચિંતિત
ધોરણ 10 અને 12ની પરીક્ષા સંદર્ભે ગાઇડલાઈન જાહેર કરી
પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની ફરજિયાત વ્યવસ્થાનો આદેશ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની બીજા તબક્કાની પરીક્ષા યોજાનાર છે. જે જૂનના મધ્ય સુધી ચાલશે. ત્યારે એક તરફ બાળકોની પરીક્ષા તો બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી. જેને લઇને CBSE બોર્ડ ચિંતામાં મુકાયુ છે. મહત્વનું છે કે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યુ છે. ત્યારે આવી સ્થિતિમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા સંદર્ભે સીબીએસઇએ ગાઇડલાઇન જાહેર કરી છે.
CBSEએ જાહેર કરી ગાઇડલાઇન
રાજ્યભરમાં પડતી કાળઝાળ ગરમીને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા સંદર્ભે સીબીએસઇ દ્વારા ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ
પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની ફરજિયાત વ્યવસ્થાનો આદેશ કરવામાં આવ્યો છે. CBSE બોર્ડ દ્વારા વિદ્યાર્થી દીઠ દૈનિક રૂ.2 શાળાઓને અપાશે. કાળઝાળ ગરમીથી વિદ્યાર્થીઓની તબિયત ન બગડે તે માટે ખાસ કાળજી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
બે તબક્કામાં થઈ રહી છે CBSEની પરીક્ષા
અહીં ઉલ્લેખનીય છે કે, CBSE આ વર્ષે બોર્ડની પરીક્ષા બે અલગ અલગ તબક્કામાં લઈ રહ્યું છે. આ પરીક્ષાનો બીજો તબક્કો છે. પ્રથમ તબક્કો ગત વર્ષે નવેમ્બર ડિસેમ્બર મહિના દરમિયાન આયોજીત કરવામાં આવ્યો છે. અહીં બોર્ડ પરીક્ષા ઓફલાઈન મોડમાં આયોજીત થઈ રહી છે. CBSEના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા એક શિફ્ટમાં કરવાનું વિચારી રહી છે. CBSEએ 50 ટકા સિલેબસ માટે આ પરીક્ષાઓ આયોજીત કરી રહ્યું છે. બાકીના 50 ટકા સિલેબસ માટે પરીક્ષાઓ ગત વર્ષે આયોજીત થઈ ચુકી છે.
વિદ્યાર્થીઓને નહીં મળે ત્રીજો મોકો
CBSEના જણાવ્યા અનુસાર જે વિદ્યાર્થી ન તો પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષા નથી આપી, આ વિદ્યાર્થીઓને હવે ત્રીજા તબક્કામાં બેસવા દેવામા આવશે નહીં. આવા વિદ્યાર્થીઓને ફરીથી ક્લાસ રિપીટ કરવો પડશે. આ વિદ્યાર્થી ફક્ત આગામી વર્ષએ આયોજીત થનારી CBSE બોર્ડની પરીક્ષામાં બેસી શકશે. આ વિદ્યાર્થીઓને આ વર્ષે કંપાર્ટમેંટ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
કંપાર્ટમેંટ અને રિઝલ્ટ માટે બનાવી ગાઈડલાઈન
CBSEએ બોર્ડ પરીક્ષાઓ માટે કંપાર્ટમેંટ પરીક્ષા પાત્રતા અને રિઝલ્ટ સંબંધી ગાઈડલાઈન બનાવી છે. કોરોના કારણે બીજા તબક્કાની પરીક્ષા આપી શક્યા નથી, આવા વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. CBSEના જણાવ્યા અનુસાર આવા વિદ્યાર્થીઓ માટે વિકલ્પ હશે અને તેને એસેંશિયલ રિપીટની કેટેગીમાં નહીં રાખવામાં આવે. મહત્વનું છે કે આ પરીક્ષાઓ માટે દેશભરમાં લગભગ 35 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.