કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં CBSE અને ICSE 12માં ઘોરણના રિઝલ્ટનો ફોર્મુલા જણાવ્યો છે.
CBSE અને ICSE બોર્ડનું પરિણામ કરવામાં આવશે જાહેર
જાણો કઈ રીતે નક્કી કરવામાં આવ્યું પરિણામ?
31 જુલાઈ સુધી જાહેર કરવામાં આવશે પરિણામ
CBSE અને ICSE બોર્ડના 12માંની માર્કશીટ તૈયાર કરવાને લઈને બનાવવામાં આવેલી 13 સદસ્યોની સમિતિએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. સીબીએસઆઈએ જણાવ્યું કે 10માં, 11માં અને 12માંના પ્રી બોર્ડના રિઝલ્ટને 12માંના ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે અને રિઝલ્ટ 31 જુલાઈ સુધી જાહેર કરવામાં આવશે.
કઈ રીતે નક્કી કરવામાં આવ્યું પરિણામ?
સીબીઆઈએ કહ્યું કે 10માંના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કને લેવામાં આવશે. જે રીતે 11માંના પાંચ વિષયનું એવરેજ લેવામાં આવશે અને 12માંની પ્રી-બોર્ડ એક્ઝામ અને પ્રેક્ટિકલ માર્ક્સનો આધાર લેવામાં આવશે. 10માંના માર્ક્સના 30 ટકા, 11માંના માર્ક્સના 30 ટકા અને 12માંના માર્ક્સના 40 ટકાના આધાર પર રિઝલ્ટ નક્કી કરવામાં આવશે.
CBSE told the Supreme Court that the Class XII results will be decided on the basis of performance in Class 10 (30% weightage), Class 11 (30% weightage) & Class 12 (40% weightage). https://t.co/EYCaCWZpi4
સુપ્રીમ કોર્ટમાં સીબીએસઈએ કહ્યું કે પરિણામ સમિતિએ પરીક્ષાની વિશ્વસનીયતાના આધાર પર વેટેજ નક્કી કર્યો છે. સ્કૂલની નીતિ પ્રીબોર્ડમાં વધારે માર્ક્સ આપવાની છે એવામાં સીબીએસઈના હજારો સ્કૂલોમાંથી દરેક માટે પરિણાન સમિતિ બનાવવામાં આવશે. સ્કૂલના બે વરિષ્ઠ શિક્ષક અને પડોસી સ્કૂલના શિક્ષક "મોડરેશન કમિટિ"ના રૂપમાં કાર્ય કરશે. જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે સ્કૂલના માર્કને વધારે બતાવવામાં ન આવે. આ કમિટિ વિદ્યાર્થીના પાછલા ત્રણ વર્ષના પ્રદર્શનને ધ્યાનમાં લેશે.
1 જુલાઈએ જાહેર કરવામાં આવશે પરિણામ
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 31 જુલાઈ સુધી CBSE ધોરણ 12ના પરિણામો જાહેર કરવામાં આવશે. જે બાળકો પરિણામથી સંતુષ્ટ નહીં હોય તેમને બીજી વખત પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. તેના માટે ગાઈડલાઈન્સ બનાવવામાં આવી રહી છે. કેન્દ્રએ કહ્યું છે કે સીબીએસઈએ પહેલી વખત અભૂતપૂર્વ સંકટનો સામનો કર્યો છે.