સેન્ટ્રલ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓના પરિણામ નિરાશાજનક પણ રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓ માટે ખાસ ટ્વિટ કરીને મેસેજ આપ્યો છે.
CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કર્યા
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને ખાસ મેસેજ આપ્યો
ટ્વિટ પર પરીક્ષા પે ચર્ચાનો વીડિયો શેર કરી વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો
CBSEએ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કરી દીધા છે. આજે એટલે કે શુક્રવારે સવારે લગભગ 9.50 કલાકની આસપાસ પરિણામની લિંક એક્ટિવ થઈ હતી. આ પરીક્ષામાં કુલ 92.71 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ત્યાર બાદ બપોરે બે વાગે ધોરણ 10ના પરિણામ જાહેર કર્યા હતા. આ પરીક્ષામાં અમુક વિદ્યાર્થીઓ નાપાસ પણ રહ્યા હતા. જ્યારે અમુકને ઓછા માર્ક્સ આવવાના કારણે હતાશ પણ થયા છે. પણ આપે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. પ્રધાનમંત્રી મોદી પણ આપને આ જ વાત કહી રહ્યા છે. સીબીએસઈના પરિણામ જાહેર થયા બાદ પીએમ મોદીએ તમામ બાળકો માટે જરૂરી મેસેજ આપ્યો છે.
Some students may not be happy with their results but they must know that one exam will never define who they are. I am certain they will find more success in the times to come. Also sharing this year's PPC where we discussed aspects relating to exams. https://t.co/lKYdXhnHTF
પીએમ મોદીએ સીબીએસઈ બોર્ડના પરિણામ જાહેર થયા બાદ ટ્વિટ પર વિદ્યાર્થીઓે માટે મેસેજ મોકલ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે, બની શકે કે અમુક વિદ્યાર્થી પોતાના પરિણામથી ખુશ નહીં હોય, પણ તેમને એ ખબર હોવી જોઈએ કે, એક પરીક્ષા એવું ક્યારેય મૂલ્યાંકન નથી કરી શકતી કે તમે શું છો, મને પુરી આશા છે કે, આપને આવનારા સમયમાં વધુમાં વધુ સફળતા મળશે.
બાળકો માટે આ પ્રકારના મેસેજ સાથે પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા 2022નો વીડિયો પણ શેર કર્યો છે. આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓને તણાવમુક્ત કરવા, પરીક્ષાનો ડર ખતમ કરવા અને બાળકોમાં ઉત્સાહ વધારવા માટે કરવામાં આવે છે. પીએમ મોદી આ કાર્યક્રમમાં સીધા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. તેમની સમસ્યાઓ સાંભળે છે અને સમાધાન આપવાની કોશિશ કરે છે.