કોર્ટે મંગળવારે સીબીઆઈને વધારે અધિકારી આપવાની વાત કરી. કોર્ટે કહ્યું કે એક કાયદો લાવવો જોઈએ જે અંતર્ગત એજન્સીને મોટા અધિકાર ક્ષેત્ર અને વધારે તાકાત સાથે વૈધાનિક દરજ્જો મળે. જેથી ચૂંટણી આયોગ(ઈસી) અને કેગ (CAG)ની જેમ સીબીઆઈ પણ વધારે સ્વતંત્ર થઈ શકે.
મંગળવારે ઉચ્ચ ન્યાયાલયે ‘પિંજરામાં બંધ પોપટ’ સીબીઆઈને મુક્ત કરવાના નિર્દેશ આપ્યા છે. સીબીઆઈ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે એજન્સીમાં લોકોની અછત જાણે બંધનો સાથે કામ કરી રહી છે. આ અરજી પર વિચાર દરમિયાન જસ્ટિન એન કિરુબાકરણ અને જસ્ટિસ બી. પુગલેંધીની ડિવીઝન બેન્ચે કહ્યું જ્યારે કોઈ સંવેદનશીલ જઘન્ય ગુનો બને છે અને સ્થાનીક પોલીસ તરફથી સારી રીતે તપાસ નથી થતી તો સીબીઆઈને તપાસ માટે હંમેશા માંગ ઉઠતી હોય છે. આ લોકોને ભરોસો છે.
ન્યાયાધીશોએ સીબીઆઈ માટે આગળથી બજેટ ફાળવવાની ભલામણ કરી છે. સાથે એજન્સીના ડિરેક્ટરને સરકારમાં સચિવ બરાબર પદ આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે સીબીઆઈ પ્રમુખને સંબંધિત મંત્રી અથવા પ્રધાનમંત્રીને જ રિપોર્ટ કરવો જોઈએ. હાઈકોર્ટની બેંચે સીબીઆઈ ડિરેક્ટરને 6 અઠવાડિયાની અંદર વિસ્તૃત પ્રસ્તાવ મોકલવાનો નિર્દેશ કર્યો છે.
સીબીઆઈને ‘પાંજરામાં કેદ પોપાટ’ કહ્યું
કોર્ટે કહ્યું છે કે આ પ્રસ્તાવ મળ્યા બાદ કેન્દ્રએ ત્રણ મહિનાની અંદર યોગ્ય આદેશ જારી કરવો જોઈએ. વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે યૂપીએ સરકારના કાર્યકાળમાં કોલ બ્લોક ફાળવની મામલાની તપાસ દરમિયાન સીબીઆઈને ‘પાંજરામાં કેદ પોપાટ’ કહ્યું હતું.
કોર્ટે અવલોકન કર્યુ કે...
જજે જોયું કે એજન્સી ફંડિંગ અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં સુવિધાઓ જેમ કે અનેક બંધનોમાં કામ કરી રહી છે. તેમણે જોયું કે ફરેન્સિક એક્સપર્ટ પાસેથી જાણકારી મેળવી પણ એક કારણ છે. જેના ચાલતા સીબીઆઈ કેસ જલ્દી ખતમ નથી કરી શકતી. તેમણે કહ્યું કે લેબમાં અમેરિકાની એસબીઆઈ અને બ્રિટનના સ્કોર્ટલેન્ડ યાર્ડની જેમ સુવિધા હોવી જોઈએ.