નવી દિલ્હીઃ સીબીઆઇએ લાંચ કેસમાં આરોપી પોલીસ ઉપ અધિક્ષક દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી લીધી છે. દેવેન્દ્ર કુમાર સીબીઆઇ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાના લાંચ કેસમાં આરોપી છે. સીબીઆઇએ પોતાના જ નિદેશક રાકેશ અસ્થાના સહિત કેટલાક લોકો વિરૂદ્ધ લાંચ લેવાના આરોપમાં FIR દાખલ કરી છે.
CBIના અધિકારીઓ પર લાગેલા લાંચ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. પોતાના પર આરોપ લાગે તે પહેલા રાકેશ અસ્થાનાએ કેબિનેટ સેક્રેટરી અને રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો.
ઓગસ્ટ મહિનામાં લખાયેલા આ પત્રમાં રાકેશ અસ્થાનાએ સીબીઆઇમાં કથિત રીતે ચાલતી નરમાસભરી નીતિનો ખુલાસો કર્યો હતો. પત્રમાં કુલ 9 ખુલાસા કરીને રાકેશ અસ્થાનાએ સવાલ ઉઠાવ્યા હતા. રાકેશ અસ્થાનાએ કહ્યું કે લાલુ યાદવ કેસ તેમજ IBના ઇનપુટ પર તપાસ કરવામાં આવતી નથી.