સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈએ કેન્દ્રના આદેશ બાદ કેસ દાખલ કર્યો છે અને તપાસ પોતાના હાથમાં લઇ લીધી છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી, ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સૈમુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે, સીબીઆઇ બિહાર પોલીસના સંપર્કમાં છે.
સુશાંતસિંહ આત્મહત્યા કેસ મામલે CBIએ દાખલ કરી ફરિયાદ
CBIએ કેસની તપાસ માટે બનાવી SIT
રિયા ચક્રવર્તી સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ
બૉલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં જોડાયેલી CBIએ સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. CBIએ IPCની કલમ 306, 341, 342, 420, 406 અને 506 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
સુશાંત કેસની તપાસ અલગ ટીમ કરશે એટલા માટે SITની રચના કરવામાં આવી રહી છે. કેસની મનોજ શશિધરની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર તપાસની દેખરેખ કરશે. તપાસ માટે અનિલ યાદવને આઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે, ઈડી 7 ઓગસ્ટે રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ કરશે.
CBI registers FIR against Rhea Chakraborty, Indrajit Chakraborty, Sandhya Chakraborty, Showik Chakraborty, Samuel Miranda, Shruti Modi, and others in connection with #SushantSinghRajput's death case. pic.twitter.com/KEy7iCegcv
ઉલ્લેખનીય છે કે CBIની તપાસ ટીમમાં ગુજરાત કેડરના IPS અધિકારી પ્રવિણ સિંહા જે CBIના એડિશનલ ડાયરેક્ટર છે જે સમગ્ર તપાસનું મોનિટરિંગ કરશે. જ્યારે CBIના જોઈન્ટ ડાયરેક્ટર મનોજ શશીધર જે પણ ગુજરાત કૅડરના જ IPS અધિકારી છે તેમના નેતૃત્વ હેઠળ આ સમગ્ર તપાસ થવાની છે. ગગનદીપ ગંભીર (ગુજરાત કૅડર IPS અધિકારી) આ તપાસનું નિરીક્ષણ કરશે જ્યારે SP રવિ ગંભીર અને અનિલ યાદવ આ કેસમાં ઈન્વેસ્ટિગેશન ઓફિસર હશે.