આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકાર સમૂહ એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા (Amnesty International India) ગ્રુપના દિલ્હી અને બેંગલુરુ સ્થિત ઓફિસ પર શુક્રવારે CBIએ દરોડા પાડ્યા. સીબીઆઇની આ રેડ વિદેશી સહાયતા નિયમન અધિનિયમ (FCRA) ના ઉલ્લંઘનને લઇને થઇ છે.
માનવાધિકાર સમૂહ એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાની ઓફિસ પર CBIએ દરોડા પાડ્યા
એમનેસ્ટી પર વિદેશી સહાયતા નિયમન અધિનિયમ (FCRA) ના ઉલ્લંઘનનો આરોપ
દેશમાં માનવાધિકારોના ઉલ્લંઘન વિરુદ્ધ બોલવાના કારણે નિશાન બનાવાઇ રહી છે : એમનેસ્ટી
સીબીઆઇની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા સમૂહે કહ્યું કે તેને દેશમાં માનવાધિકારોના ઉલ્લંઘન વિરુદ્ધ બોલવાના કારણે નિશાન બનાવવામાં આવી રહી છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલે નિવેદન જાહેર કરી કહ્યું છે કે તે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કાનૂનોનું પૂર્ણ રીતે પાલન કરે છે. તેણે આરોપ પણ લગાવ્યો છે કે આ કાર્યવાહી તેમને હેરાન કરવા માટે કરવામાં આવી છે.
સીબીઆઇએ શુક્રવારે એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના બેંગલુરુ અને દિલ્હી સ્થિત ઓફિસો પર રેડ પાડી. ન્યૂઝ એજન્સી પીટીઆઇ સાથેની વાતચીતમાં સીબીઆઇના એક ઓફિસરે પુષ્ટી કરી છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ ગ્રુપ પર નિયમોનું ઉલ્લંઘન કરતા વિદેશી ફંડિંગ હાંસલ કરવાનો આરોપ છે.
બીજી તરફ એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરત પર જમાવ્યું કે સંસ્થાના બેંગલુરુ સ્થિત ઓફિસ પર સીબીઆઇના લગભગ 6 લોકોની ટીમ સવારે 8 વાગ્યે પહોંચી અને આ રેડ સાંજે 5 વાગ્યા સુધી ચાલી.
Karnataka: Central Bureau of Investigation (CBI) team is conducting a raid on Amensty International Group in Bengaluru, in connection with violation of Foreign Contribution Regulation Act (FCRA). pic.twitter.com/NgANsQEm9V
એમનેસ્ટીએ એક નિવેદન જાહેર કરી કહ્યું કે, ગત કેટલાક વર્ષોથી જ્યારે પણ એમનેસ્ટી ઇન્ડિયા ભારતમાં માનવાધિકારોના ઉલ્લંઘન વિરુદ્ધ બોલે છે તો તેને હેરાન કરવામાં આવે છે. સંસ્થાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કાનૂનોનું પૂર્ણ રીતે પાલન કરે છે.
નોંધનીય છે કે, ગત વર્ષે એમનેસ્ટીની વિરુદ્ધ પ્રવર્તન નિદેશાલયે પણ તપાસ કરી હતી. માનવાધિકાર સંગઠન પર વિદેશી ફંડ નિયમનના ઉલ્લંઘનના આરોપોને લઇને ઇડીએ પણ સંસ્થા વિરુદ્ધ તપાસ કરી હતી.