CBIએ બેન્કની મોટી લોન ન ભરનારાઓ સામે કામગીરી શરૂ કરી છે અને તેને લઈને તેમણે દેશના 12 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લગભગ 50 જેટલી જગ્યાઓ પર રેડ કરી હતી. દેશમાં બેંકનું ફ્રોડ કરીને વિદેશ ભાગતા લોકોની સંખ્યા વધતા હવે આ સંસ્થાઓ હરકતમાં આવી છે. જેને લઈને તપાસ સંસ્થાએ દેશભરમાં દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
12 રાજ્યોમાં એક સાથે દરોડા
CBIએ બેન્કની મોટી લોન ન ભરનારાઓ સામે કામગીરી શરૂ કરી છે..અને તેને લઈને તેમણે દેશના 12 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લગભગ 50 જેટલી જગ્યાઓ પર રેડ પાડી છે.. CBIના એક અધિકારીએ કહ્યું કે, ઘણી ટીમોએ 18 શહેરમાં કંપનીઓ, પ્રમોટરો, નિર્દેશકો અને બેન્કના અધિકારીઓના રહેઠાણ અને વ્યવસાયિક પરિસરોમાં રેડ કરી હતી. CBIએ દિલ્હી, મુંબઈ, થાને, લુધિયાણા, વલસાડ, પુના, પલાની, ગયા, ગુડગાંવ, ચંદીગઢ, ભોપાલ, સુરત વગેરે શહેરોમાં રેડ કરી હતી.
એક અધિકારીએ કહ્યુ કે, બેન્ક ફ્રોડના 14 નવા મામલાઓ નોંધાયા છે. આ મામલામાં 640 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. CBI જે કંપનીઓના ઠેકાણાઓ પર રેડ કરી છે, તેમાં મુખ્યરૂપથી વિન્સમ સમૂહ, સુપ્રીમ ટેક્સ માર્ટ, તયાલ ગ્રુપ, નફતો ગજ ઈન્ડિયા લિમિટેડ, એસએલ કન્ઝ્યુમર વગેરે કંપનીઓ અગ્રેસર છે.
દેશના મોટા ગ્રુપ પર CBI એ કરી કાર્યવાહી
વિન્સમ સમુહના મુંબઈ અને થાણા સ્થિત ઠેકાણાઓ પર રેડ કરવામાં આવી હતી. જયારે ટેક્સ માર્ટના લુધિયાણા, તયાલ ગ્રુપના મુંબઈ, નફતો ગજના દિલ્હી, એસએલ કન્ઝ્યુમરના દિલ્હી અને ઈન્ટરનેશનલ મેગા ફુડ પાર્કના પંજાબ સ્થિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
CBIએ આ કાર્યવાહી મોદી સરકારના બીજા કાર્યકાળના શરૂઆતના 2 મહીનામાં શરૂ કરી છે. બેન્ક ફ્રોડને લઈને સરકારની કડકનીતિના પગલાના ભાગરૂપે જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન બેન્કો સાથે થયેલી 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા દેશ છોડીને ફરાર થઈ જવાના પગલે સરકારની ખૂબ જ ટીકા થઈ હતી.
આ ત્રણેનું પ્રત્યાર્પણ કરીને ભારત લાવવાના મામલાની બ્રિટન અને એન્ટીંગુઆની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જે દિવસે CBI દેશના 18 શહેરમાં રેડ કરી રહી હતી. તે જ દિવસે બ્રિટનની કોર્ટમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર સુનાવણી થઈ હતી.