નવી દિલ્હીઃ 2જી કૌભાંડ મામલે પૂર્વ પ્રસારણ મંત્રી એ.રાજાની મુક્તી મામલે સીબીઆઈએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. આ પહેલા ઈડીએ પણ કોર્ટમાં સજા મામલે અરજી કરી હતી.
હાઈકોર્ટ અરજી માન્ય રાખી છે. આ કોસની સુનાવણી જલ્દી કરાશે. આ મામલે વિશેષ કોર્ટ સીબીઆઈની વિશેષ કોર્ટના નિર્ણયમાં એ.રાજા અને કનીમોઝને આરોપ મુક્ત કર્યા હતા. આશરે ત્રણ મહિના પહેલા આવેલા નિર્ણયમાં તમામ આરોપીઓને મુક્ત કરાયા હતા.
ઉલ્લેખનિય છે કે કોર્ટના નિર્ણયને પડકારવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. સમય પુરો થતાં પહેલા કોર્ટમાં ઈડીએ અને સીબીઆઈએ અરજી કરી છે. અને કેસની સુનાવણી ફરી કરવામાં આવશે.