ગોરખપુરમાં મનીષ ગુપ્તા મોત કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, યોગી સરકારે કેસની તપાસ CBIને આપવા ભલામણ કરી છે.
મનીષ ગુપ્તા મોત કેસમાં મોટું એક્શન
CBI કરશે કેસની તપાસ
યુપી સરકારે કરી ભલામણ
મનીષ ગુપ્તા કેસમાં CBI કરશે તપાસ
ઉત્તર પ્રદેશનાં મનીષ હત્યાકાંડમાં હવે CBI તપાસ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે આ કેસમાં મોટું એક્શન લેતા CBI તપાસની ભલામણ કરી છે. આ સાથે જ સીએમ યોગીએ પીડિત પરિવાર માટે ત્રીસ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત પણ કરી છે. પોલીસ કમિશનર અસીમ અરુણ અને ધારાસભ્ય સુરેન્દ્ર મૈથાની આ ચેક પીડિત પરિવારને આપશે. આ પહેલા ગુરુવારે દસ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીએ સહાયતા રાશિ વધારવા માટે પણ આશ્વાસન આપ્યું હતું.
Uttar Pradesh Govt recommends CBI inquiry into the death of businessman Manish Gupta during a raid at a hotel in Gorakhpur
Govt to provide his family with Rs 40 lakhs and job of OSD to his wife in Kanpur Development Authority
શું છે આખો મામલો?
નોંધનીય છે કે ગોરખપૂરમાં એક પ્રોપર્ટી બિઝનેસમેનની મોતની ઘટના બાદ ઉત્તર પ્રદેશ પોલીસ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. 27 સપ્ટેમ્બરની રાતે કે હોટલમાં છ પોલીસ જવાનો ચેકિંગનાં નામે પહોંચી હતી તે બાદ કારોબારી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે બાદ તે મનીષ ગુપ્તાની મોત થઈ ગઈ.
પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ
પરિવારજનોનો આરોપ છે કે પોલીસ જવાનોએ જ મનીષની હત્યા કરી છે. જોકે પોલીસ કહી રહી છે કે પગ લપસી જવાના કારણે મનીષનું મોત થયું હતું એવામાં સત્યની તપાસ કરવામાં આવી છે. પ્રત્યક્ષ સાક્ષી હરબીરે જણાવ્યું છે કે પોલીસ જવાનોએ મનીષ ગુપ્તાની પિટાઈ કરી હતી અને મનિષે સવાલ કરતાં પોલીસ જવાનો ભડકી ગયા હતા, જે બાદ પોલીસે જેલમાં બંધ કરવાની ધમકી આપીને મનીષને લઈને લિફ્ટ સુધી ઢસડીને લઈ ગયા અને માર મારવાનો આદેશ PI જેએન સિંહે આપ્યા હતા.