અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે CBI આજે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. સુશાંતના પરિવારની માગ છે કે, રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવે. જો કે, સીબીઆઇના પૂર્વ જોઇન્ટ ડાયરેક્ટર શાંતનું માનીએ તો હાલ રિયાની ધરપકડ ન થઇ શકે.
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલો
CBIના પૂર્વ ડાયરેક્ટરનું રિયાની ધરપકડ મામલે નિવેદન
હાલ ધરપકડ ન થઇ શકે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિયા ચક્રવર્તીની પૂછપરછ ચાલી રહી છે અને આગામી સમયમાં પણ તે પૂછપરછ ચાલતી રહેશે. ધરપકડ ત્યારે થાય છે જ્યારે કોઇ ભાગી જાય, પૂછપરછમાં કોઇ અડચણ આવે, રિમાન્ડ લેવાની જરૂર પડે. હવે અહીં રિમાન્ડ લેવાની જરૂર નથી. તેણી સીબીઆઇના સમન્સ પર આવી રહી છે.
હાલ ધરપકડ નહીં થાય
CBIના પૂર્વ જોઇન્ટ ડાયરેક્ટર શાંતનુ સેનના જણાવ્યા પ્રમાણે, સીબીઆઇ રિયા ચક્રવર્તીની ધરપકડ નહીં કરવામાં આવે. આજે ફરી એકવાર સુશાંત આત્મહત્યા મામલે રિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. રિયા ચક્રવર્તી પહેલી વાર ખુલીને સામે આવી અને કેટલીક વાતો કહી જેના પર લોકો પણ હવે વિચાર કરવા લાગ્યા છે. રિયાએ તેના પર લાગેલા દરેક આરોપોને નકારી કાઢ્યા છે અને જે બાદ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ નિવેદન આપ્યુ છે કે તે સુશાંતના પરિવાર સાથે ઉભી રહેશે.
રિયા પર અંકિતાનું રિએક્શન
હવે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ રિયાના ઇન્ટરવ્યૂ પર રિએક્ટ કર્યું છે. તેણે ફરી એક વાર રિયાને જુઠ્ઠી ગણાવી છે. અંકિતાએ ફરી એક વાર કહ્યું છે કે સુશાંતને ડિપ્રેશનની કોઇ સમસ્યા જ નહોતી. અંકિતાએ કહ્યું કે, હું રિયાને જણાવવા માંગુ છુ કે હું સુશાંત સાથે 23 ફેબ્રુઆરી 2016 સુધી હતી ત્યાં સુધી તેને ડિપ્રેશનની કોઇ સમસ્યા નહોતી.