નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંંત્રી હતા ત્યારે તેમના ખાસ મનાતાં ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાને CBIએ લાંચ મામલે દુબઇના વેપારી અને કથિત વચેટિયા વિરુદ્ધ દિલ્હીની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં સીબીઆઇના પૂર્વ વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનું નામ પણ સામેલ હતું, પરંતુ એજન્સીએ રાકેશ અસ્થાનાને ક્લિન ચીટ આપવામાં આવી છે.
વિશેષ સીબીઆઇ જ્જ સંજીવ અગ્રવાલ સમક્ષ દાખલ ચાર્જશીટમાં સીબીઆઇના ડીએસપી દેવેંદ્ર કુમાર અને રૉ ના ચીફ એસ કે ગોયલને પણ ક્લીન ચીટ આપવામાં આવી છે. દેવેંદ્ર કુમારની 2018 માં ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ તેમને જામીન આપવામાં આવી હતી.
કોર્ટે બુધવારે અંતિમ રિપોર્ટ પર વિચાર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ચાર્જશીટમાં જણાવામાં આવ્યું છે કે આ મામલાની હાલ તપાસ ચાલી રહી છે અને એજન્સી પૂરક રિપોર્ટ દાખલ કરી શકે છે. મનોજ પ્રસાદની 17 ઓક્ટોબર, 2018માં ધરપકડ કરવામાં આવી હતી અને ડિસેમ્બરમાં તેમને જામીન આપવામાં આવી હતી.
CBI 60 દિવસમાં રિપોર્ટ દાખલ કરવામાં અસફળ રહી હતી, ત્યાર બાદ કોર્ટે પ્રસાદને સશરતી જામીન આપ્યાં હતા. સીબીઆઇએ હેદરાબાદના વેપારી સતીશ સનાની ફરિયાદ પર અસ્થાના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સના મીટ નિકાસકાર મોઇન કુરેશી મામલમાં તપાસનો સામનો કરી રહ્યો હતો.
આલોક વર્માની વધી શકે છે મુશ્કેલી
રાકેશ અસ્થાનાને ક્લીન ચીટ મળવાની સાથે જ સીબીઆઇના પૂર્વ નિદેશક આલોક વર્મા વિરુદ્ધ દૂર્ભાવના અને ષડયંત્ર હેઠળ પોતાના અઘિકારી વિરુદ્ધ ખોટી FIR કરવા અંગે તપાસ થઇ શકે છે. તપાસ બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જો કે રાકેશ અસ્થાના માટે હવે CBI ના નિદેશક બનવાનો રસ્તો ક્લિયર થતો જોવા મળી રહ્યો છે.